Wednesday, November 30, 2016

10 કિ.મી.ના જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર થશે

DivyaBhaskar News Network | Nov 30, 2016, 05:05 AM IST
ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાનાં 294 ગામો અને દસલાખથી વધુ ગ્રામિણ માનવ વસાહતને અસરકર્તા ઇકોઝોનનાં કાયદા અંગે સોમવારે ગીર પંથકમાંથી એક પ્રતિનિધી મંડળ ગાંધીનગર મંત્રીમંડળ સમક્ષ રજૂઆત કરવા ગયેલ અને ઇકોઝોનની મર્યાદા દસ કીમીથી ઘટાડી 100 મીટર સુધી કરવા મુદાસર રજુઆત કરેલ. રજૂઆત સાંભળી મંત્રીમંડળએ 100 મીટરની મર્યાદા કરવાની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ મોકલી યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ગીર-સોમનાથ અને જૂનાગઢનાં આગેવાનો ગાંધીનગર ખાતે પાંચ મંત્રી બાલુભાઇ બોખીરીયા, ગણપતભાઇ વસાવા, ચીમનભાઇ સાપરીયા, વલ્લભભાઇ વઘાસીયા, જશાભાઇ બારડ, દરેક વિભાગોનાં સચિવોની ઉપસ્થિતિમાં ઇકોઝોનનાં નવા કાયદાથી ઉભી થનારી મુશ્કેલી વર્ણવી હતી અને ગુજરાત રાજયમાં ગીરનાર, બરડા ડુંગર જયાં સિંહોનો વસવાટ છે. ત્યાં ઇકોઝોનની મર્યાદા 100 થી લઇ 1000 મીટરની રેન્જ કરવામાં આવી છે. તો ગીર પંથકનાં ત્રણ જિલ્લાનાં 294 ગામો અને દસ લાખથી વધુ ગ્રામિણ માનવ વસ્તીને અસરકર્તા અને વિકાસને અવરોધતા નવા ઇકોઝોનની રેન્જ દસ કિલોમીટરથી ઘટાડી 100 મીટર સુધી કરવા પ્રતિનિધી મંડળએ અસરકારક રજૂઆત કરેલ. રજૂઆત જાણી મંત્રીમંડળએ જણાવેલ કે 100 મીટરની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રાજય સરકાર મોકલી ઇકોઝોનની રેન્જ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

No comments: