Wednesday, November 30, 2016

વન વિભાગનાં મજુરોનાં પગારમાં વિલંબ

DivyaBhaskar News Network | Nov 23, 2016, 05:10 AM IST
જૂનાગઢનીબેંકમાં 500ની અને 1000ની નોટ બદલાવવાની કામગીરીને કારણે વનવિભાગનાં મજુરોનો પગાર થયો નથી. જેનાં કારણે મજુરોને હાલાકી વેઠવી પડે છે. જૂનાગઢ વનવિભાગમાં કામ કરતા મજુરોનાં પગારમાં વિલંબ થયો છે. બેંકમાં 500ની અને 1000ની નોટ બંધ રહેવાને કારણે સમસ્યા થઇ હોવાનું માનવામાં આવે છે. ખાલી ખીસ્સાને કારણે આર્થિક રીતે તફલીફ પડી રહી છે. મહિનાનો અંત આવવા છતાં પગારની ચૂકવણી કરવામાં આવી નથી. મજુરોએ જણાવ્યુ હતુ કે હાલ કરકસર કરીને પૈસા વાપરવા પડે છે. હવે આર્થિક રીતે મુશ્કેલી પડી રહી છે.

No comments: