Wednesday, November 30, 2016

દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા

DivyaBhaskar News Network | Nov 23, 2016, 04:40 AM IST
દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા માટે લોકજાગૃતિના સર્વત્ર પ્રયાસો થઇ રહ્યા છે. સમયે ઉત્તરપ્રદેશના અવધબિહારીલાલે અનોખુ અભીયાન ચલાવ્યુ છે. 36 વર્ષથી તેઓ પર્યાવરણ જાગૃતી માટે પદયાત્રા કરી રહ્યા છે. 11 દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. ત્રણેય પદયાત્રીઓ આજે અમરેલીની મુલાકાતે આવી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના લખમીપુરના વતની અવધ બિહારીલાલે પોતાની પદયાત્રા 30 જુલાઇ 1980ના રોજ શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી પદયાત્રાને બાદમાં તો કોઇ દેશના સીમાડાઓ પણ રહ્યા. તેમની સાથે બે અન્ય પદયાત્રીઓ પણ જોડાયા છે અને તેઓ દેશ-વિદેશમાં ફરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા શું શું કરી શકાય ? તે અંગે તેઓ લોકજાગૃતિ કેળવી રહ્યા છે.

તેમની સાથે અલગ અલગ પદયાત્રીઓ પણ જોડાતા રહે છે. અમરેલી આવી પહોંચેલા અવધ બિહારીલાલે આજે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે તેમને જુદા જુદા 11 દેશોમાં પ્રકારે પદયાત્રા કરી છે. જ્યાં જાય ત્યાં પર્યાવરણને બચાવવા સંદેશો આપવા ઉપરાંત લીમડો, પીપળો, આંબળાના વૃક્ષોનુ ઠેર ઠેર વાવેતર કરે છે. શાળા-કોલેજ, સોસાયટીઓ કે લોકોના ઘરોમાં મોટા પ્રમાણમાં તેઓ વૃક્ષો વાવે છે. હાલમાં તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહ્યા છે. આજે તેઓ અમરેલીમાં જીલ્લા કલેક્ટરને પણ મળ્યા હતાં.

No comments: