Wednesday, November 30, 2016

ગીર પંથકમાં ઇકોઝોન મુદે ભાજપ, કોંગ્રેસ, કિશાન સંઘ એક મંચ ઉપર

DivyaBhaskar News Network | Nov 09, 2016, 03:40 AM IST

તાલાલામાં હોદેદારોની અગત્યની બેઠક મળી : દિલ્હી સુધી રજૂઆત કરશે

ગીરપંથકમાં ઇકોઝોનનાં કાયદાઓથી ઉભી થનાર મુશ્કેલીઓને યોગ્ય સ્તરની રજુઆત સાથે સરકાર સુધી પહો઼ચાડી કાયદામાં ફેરફાર સાથે સમીક્ષા કરાવવા મુદે આજે ભાજપ, કોગ્રેસ, કિશાન સં એક મંચ ઉપર આવેલ કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગે 26 ઓકટોબરનાં ઇકોઝોનનું નોટીફીકેશન બહાર પાડી 2 નવેમ્બરે લોકો માટે ખુલ્લુ મુકયા બાદ તાલાલા પંથકનાં રાજકીય આગેવાનો અને કિશાન સંઘ એક મંચ ઉપર આવેલ.

તાલાલા બોરવાવ ફાટક પાસે આવેલ વિવેકાનંદ શૈક્ષણીક સંકુલ ખાતે ઇકોઝોન મુદે મળેલી બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાદી, પ્રમુખ ડાયાભાઇ વઘાસીયા, તાલાલા પાલિકાનાં પુર્વ પ્રમુખ અમીત ઉનડકટ, તાલુકા કોંગ્રેસ અગ્રણી અને આદિવાસી સંઘનાં પ્રમુખ અહેમદ વલી મકવાણા ગીર સોમનાથ જિલ્લા કિશાન સંઘ પ્રમુખ ભરત સોજીત્રા, તાલાલા તાલુકા પ્રમુખ રાજુભાઇ પાનેલીયા, ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમાર સહીત તાલાલા તાલુકાનાં ગામડાનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ઇકોઝોનની અસર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં તમામ તાલુકા ઇકોઝોન હેઠળ આવતા હોય ઇકોઝોનનાં નવા કાયદાથી આમ પ્રજા, ખેડૂતો, નનાના ધંધાર્થીઓને પડનારી મુશ્કેલી અને વિસ્તારોનો વિકાસ રૂંધાય તેવી સંભાવના હોય. નવા ઇકોઝોનનું નોટીફીકેશન ઓનલાઇન રજુ થયુ હોય.

જે કોઇને વાંધા રજુ કરવાનાં હોય તો 60 દિવસમાં ઓનલાઇન રજુ કરવાનાં તે વ્યવસ્થા યોગ્ય હોવાનો સુર બેઠકમાં ઉઠેલ અસરકર્તા દરેક ગામોમાં સરપંચ મીટીંગ્ બોલાવી લોકોને ઇકોઝોન કાયદાની જાણ કરે અને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય તેવું આયોજન શરૂ કરવાનું નક્કી થયેલ.

વાંધા-સુચનો ઓનલાઇન રજુ કરી સંયુકત પક્ષો અને કિશાન સંઘનું બનેલ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર અને દિલ્હી સુધી યોગ્ય રજુઆતો કરે તે માટે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવશે. ઇકોઝોન મુદે મળેલ સર્વપક્ષીય બેઠકમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારને અસરકર્તા મુશ્કેલીનો ઉકેલ લાવવા સામુહીક નિર્ણય થયેલ હતો.

No comments: