Wednesday, November 30, 2016

એસટીનાં નિવૃત કર્મીઓની રેલીની આગળ સીદીનું ધમાલ નૃત્ય: મતદાન ન કરવાની ચિમકી

Bhaskar News Junagadh | Nov 25, 2016, 02:30 AM IST

 જૂનાગઢઃ જૂનાગઢ એસટીનાં નિવૃત કર્મચારીઓને સામાન્ય પેન્શન આપવામાં આવે છે. ત્યારે એસટીનાં નિવૃત કર્મચારીઓમાંથી લઘુતમ પેન્શન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મધુર સોશ્યલ ગૃપનાં નેજા હેઠળ એસટીનાં નિવૃત કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુરૂવારનાં એસટીનાં નિવૃત કર્મચારીઓની  વિશાળ રેલી નિકળતી હતી. રેલી દરમિયાન નવતર પ્રયોગ કર્યો હતો. 
 
રેલીની આગળ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ધમાલ નૃત્ય સાથેની રેલી કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે મધુર સોશ્યલ ગૃપનાં સલીમ ગુજરાતી, રાજેશ શ્રીવાસ્તવ, નરેશ સાશીયા સહિતનાં હાજર રહ્યા હતા. સરકાર નિવૃત કર્મચારીઓનાં  પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં  મતદાન ન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

No comments: