Wednesday, November 30, 2016

સાસણનાં ટુરિઝમ ઝોનમાં સૌથી મોટી ટેરીટરી મૌલાનાની હોવાથી તે ખાસ હતો

DivyaBhaskar News Network | Nov 21, 2016, 04:15 AM IST
અંગોનો વેપાર થઇ શકે માટે સિંહને અગ્નિદાહ આપવાનો કાયદો

સાસણમાંવર્ષો સુધી ડીએફઓ તરીકે ફરજ બજાવનાર ડો. સંદિપકુમાર કહે છે, છેલ્લા દસેક વર્ષ કરતાં વધુ સમયથી ભારત સરકાર અને બાદમાં ગુજરાત સરકારે વન્ય પ્રાણી અધિનિયમમાં ફેરફાર કરી સીંહ જેવાં પ્રાણીઓનાં મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવાનો કાયદો ઘડ્યો છે. જો અાવાં પ્રાણીઓ ને દફનાવવામાં આવે તો એકાદ વર્ષ બાદ જમીનમાં તેના ફક્ત હાડકાં અને નખ વધે. અાવા અંગો લાંબા સમય સુધી સડતાં નથી. આથી તસ્કરો અંગોને કાઢીને તેનો ગેરકાયદેસર વેપાર કરવાની ભિતી સૌથી વધુ છે. આખી દુનિયાનાં દેશોએ માટેના કાયદાઓ ઘડ્યા છે. અને ત્યાં પણ સિંહ જેવા વન્ય પ્રાણીઓનો અગ્નિ સંસ્કારજ કરાય છે. જ્યારે મૌલાના વનવિભાગ માટે ખાસ એટલા માટે હતો કારણ કે, ખુશ્બુ ગુજરાત કી બાદ વિકસેલા સાસણનાં ટુરિઝમ ઝોનમાં મૌલાના સાવજની બહુ મોટી ભૂમિકા હતી. વર્ષ 2010માં બીગ બી જે સિંહો બતાવ્યા છે તેમાં મૌલાના અને તેનો વખતનો જોડીદાર ટપુ પણ હતો. જોકે, ટપુનું મૃત્યુ 2011 માં થયું હતું. ત્યારથી મૌલાના એકલો ફરતો. તેણે ત્યારબાદ પોતાનું કોઇ ગૃપ હતું બનાવ્યું.

No comments: