Wednesday, November 30, 2016

ગિરનારની સીડી પર છાપરા માટે દરખાસ્ત થશે

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:45 AM IST

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને જૂનાગઢની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે જૂનાગઢની મુલાકાત લીધી હતી.જૂદા-જૂદા વિભાગનાં અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી.જૂનાગઢ અને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળનાં વિકાસ માટે જરૂરી સુચનો અને દરખાસ્ત કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને ગિરનાર, ભવનાથ, દામોદરકુંડ,ઉપરકોટ, દાતાર પર્વત સહિતનાં વિકાસ માટે સુચનો કરવા કર્યુ હતુ. તેમજ ગિરનાર ઉપર પાણી પહોચાડવા અને સીડી ઉપર છાપરા અને વિસામો તૈયાર કરી શકાય તે માટે અધિકારીઓને દરખાસ્ત કરવા કહ્યું હતુ.

દામોદરકુંડની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે દામોદરકુંડની મુલાકાત લીધી હતી. તેમજ અહી અસ્થિ વિસર્જન માટે આવેલા સૈયદરાજપરાનાં પરિવારને મળ્યા હતા.અને દામોદરકુંડનાં વિકાસ માટે શું કરી શકાય તે અંગે તેની સાથે ચર્ચા કરી હતી.

No comments: