Wednesday, November 30, 2016

રોપ-વે માટે અોછામાં ઓછા વૃક્ષ કપાશે

DivyaBhaskar News Network | Nov 26, 2016, 05:00 AM IST
ગરવાગીરનારને રોપ વે માટેની તમામ મંજુરીઓ મળી ગયા બાદ રોપ વે પ્રોજેક્ટના ઇન્ચાર્જ દિનેશ નેગી ઉષા બ્રેકો કંપનીના અને ઓસ્ટ્રિયાની કંપની મળી કુલ 12 મેમ્બરોએ હાથ ધરેલી કામગીરી પુરી થઇ છે. હવે એક માસ બાદ ફરી ટાવરના એલાઇન્મેન્ટ માટે બીજા ચરણનો સર્વે કરશે. રોપ વે લાઇનમાં આવતા વૃક્ષો કાપવા મુદ્દે દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ જરૂરી હોય એવા વૃક્ષો કાપવાનો રહેશે. ઇલેક્ટ્રીકલ લાઇન માટે જરૂરી માળખાકીય સુવિધા બાબતને સર્વેમાં આવરી લેવાશે. ઉપરાંત ટાવર ઉભા કરવાની કામગીરી સાતથી આઠ મહિના બાદ શરૂ કરાશે. સમયગાળામાં જરૂરી અન્ય કામગીરી પણ સાથે ચાલુ રહેશે.

No comments: