Wednesday, November 30, 2016

વનતંત્રએ 3 દિ' રેસ્કયુ કરી ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર આપી

Jaidev Varu Amreli | Nov 27, 2016, 03:22 AM IST
રાજુલાઃરાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી સાવજોના અનેક ગૃપો પણ છે જેમા અન્ય ગૃપનો સાવજ આવી ચડે તો ખુંખાર લડાઇ જામે છે. ત્યારે આવી જ એક ઘટના રાજુલાના પીપાવાવમા ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમા બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.  વનવિભાગે અહી રેસ્કયુ કરી આ સિંહણને સારવાર માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડી હતી. 

રાજુલાના પીપાવાવ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અનેક સાવજો જુદાજુદા ગૃપમા રહે છે. સાવજોના ગૃપમા અન્ય ગૃપના સિંહ કે સિંહણ આવી જાય તો અચુક લડાઇ જામે. ત્યારે પીપાવાવના ઇ કોમ્પ્લેક્ષ વિસ્તારમા પણ આવી જ એક ઘટના બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે  ઘાયલ થઇ ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ થતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ  દોડી ગઇ હતી.આ સિંહણ બાવળની કાટમા હોય તેનુ રેસ્કયુ કરવુ મુશ્કેલીભર્યુ કામ હતુ. પ્રથમ વનવિભાગે સિંહણને પકડવા અહી પાંજરૂ ગોઠવ્યું પરંતુ આ સિંહણ પાંજરે સપડાઇ ન હતી. બાદમાં સિંહણને બેભાન કરી પાંજરે પુરવામા આવી હતી. બાદમાં સિંહણની સારવાર શરૂ કરવામા આવી હતી.સિંહણનુ પુછડુ કપાઇ ગયુ  હોય તેમજ પગના પંજામા પણ ગંભીર ઇજા પહોંચી હોય સિંહણને જાફરાબાદના બાબરીયાકોટ નર્સરી ખાતે ખસેડવામા આવી હતી.

No comments: