Wednesday, November 30, 2016

નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં

Bhaskar news Amreli | Nov 20, 2016, 02:49 AM IST
નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં,  amreli news in gujarati
ધારીઃ ધારી તાલુકાના આંબરડી નજીક આવેલા વિસ્તારમાં આઠેક માસ પહેલા સાવજોએ હાહાકાર મચાવ્યો હતો અને જુદી જુદી ત્રણ ઘટનામાં સાવજોએ ત્રણ માણસોને ફાડી ખાધા હતાં તે સમયે વન વિભાગે અભુતપૂર્વ પગલુ લઇ આ વિસ્તારના તમામ સાવજોને ઝડપી લઇ નવા બનેલા આંબરડીપાર્કમાં કેદ કરી દીધા હતાં. જો કે હવે વન વિભાગે આ પૈકીના પંદર સાવજોને ગઇકાલે હડાળા રેન્જમાં જેનગર વિસ્તારમાં મુક્ત કરી દીધા હતાં. જ્યારે એક સિંહણને હજુ પણ કેદમાં  રખાઇ છે. 

સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. પરંતુ જો તે માણસનો શિકાર કરવાનું શરૂ કરી દે તો ભારે જોખમી બની જાય છે. ધારી નજીક આંબરડી વિસ્તારમાં થોડા મહિના પહેલા આવુ જ બન્યુ હતું. એક પછી એક ત્રણ ઘટનામાં સીમમાં રહેતા ત્રણ માણસોને સાવજોએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેને પગલે વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇ થોડા દિવસોમાં જ અહિં વસતા તમામ 16 સાવજોને પાંજરે પુરી દીધા હતાં. 

આ સાવજોને ખોડીયાર ડેમ નજીક નવા બનાવાયેલા આંબરડીપાર્ક વિસ્તારમાં કેદ કરી દેવામાં આવ્યા હતાં અને આ સાવજો પૈકી ક્યા સાવજ દ્વારા માણસનો શિકાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. ત્યારથી હવે આ સાવજોને ક્યા મુક્ત કરાશે તેના પર સિંહપ્રેમીઓની નઝર હતી. વનતંત્ર પણ તેના માટે યોગ્ય સ્થળની તલાશમાં અવઢવમાં હતું. આખરે પંદર સાવજોને હડાળા રેન્જના જેનગર જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.  ડીએફઓ કરૂપ્પાસામી અને સીસીએફ એ.પી. સીંગની રાહબરી નીચે પંદર સાવજોને જેનગરમાં ગઇકાલે છોડી દેવાયા હતાં. આ પૂર્વ તેમના માટે યોગ્ય સ્થળની તપાસ ચલાવાઇ હતી. ગત સવારે આઠ વાગ્યે જંગલમાં મુક્ત કર્યા બાદ તેના પર નઝર રાખવામાં આવી રહી છે. જ્યારે એક સિંહણને હજુ પણ આંબરડી પાર્કમાં રખાઇ છે. 

તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ
 
ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.

જેનગર વિસ્તારમાં મુકત કરાયા : ડીએફઓ

ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.

No comments: