Wednesday, November 30, 2016

વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો

DivyaBhaskar News Network | Nov 16, 2016, 03:35 AM IST

    વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો,  amreli news in gujarati
વિસાવદરમાં કિસાન સંઘનું આવેદન

ભારતીયકિશાન સંઘનાં નેજા હેઠળ મંગળવારે ખાંભા ગામનાં બનાવ બાબતે વિસાવદર મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં ખેડૂત ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં ખેતરમાં આવેલ મકાનમાં ઘુસીને સિંહોએ બે બળદનું મારણ કરેલ બાદમાં વનતંત્રનાં અધિકારી, કર્મચારીઓએ પરિવારની મહિલાઓને માર માર્યો હતો. જે બાબતે સ્ટાફને સસ્પેન્ડ કરવા અને ખેડૂત પર થયેલ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો જલ્દ આંદોલન કરવાની ચિમકી આપેલ છે. આવેદનપત્ર આપવામાં ખાંભા, હરિપુર, લીમધ્રા, મોટી મોણપરીનાં ખેડૂતો તથા ભારતીય કિશાન સંઘનાં તા.પ્ર. ધનજીભાઇ છોડવડીયા, જિલ્લા પ્રમુખ, અમરેલી જિલ્લા પ્રમુખ સહીતનાં કિશાન સંઘનાં આગેવાનો જોડાયા હતાં.

કિસાન સંઘનાં નેજા હેઠળ મામલતદારને અપાયું આવેદન. તસવીર- વિપુલ લાલાણી

No comments: