Wednesday, November 30, 2016

સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST
સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા,  amreli news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં  ખાંભાની સીમમાં ગુરૂવારે સાવજ પરિવારે એક વાડીનાં મકાનનો દરવાજો તોડી બે બળદનું મારણ કર્યા બાદ એક સિંહણ અંદર પુરાઇ જતાં ખેડુતે વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર આવી દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનસ્ટાફે વાડી માલીકને માર માર્યો હતો. 

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.

સવારે 6 વાગ્યે ધનસુખભાઇ  વાડીએ જતાં દરવાજો તુટેલો જોતા અંદર સિંહણને નિહાળી નવાઇ પામી ગયા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરતાં 4 કલાક સવારે 10 વાગ્યે સ્ટાફે આવી તપાસ કરી રેસ્કયુ ટીમને બોલાવી હતી.
 
સ્ટાફે મકાનનો દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનતંત્રનાં સ્ટાફે  ધનસુખભાઇ અને બે મહિલાને લાકડીથી માર મારતાં ત્રણેયએ સરકારી હોસ્પિટલે દાખલ થઇ

No comments: