Monday, November 13, 2017

જૂનાગઢ સીદી સમાજ દ્વારા તંત્રને આવેદન અપાયું

DivyaBhaskar News Network | Last Modified - Nov 05, 2017, 04:40 AM IST
તાલાળાતાલુકાના ગુંદરણ ગામે તાજેતરમાં બનેલી મારામારીની ઘટનામાં ન્યાયીક તપાસની માંગ ઉઠવા પામી છે. મામલે જૂનાગઢ...
જૂનાગઢ સીદી સમાજ દ્વારા તંત્રને આવેદન અપાયું
તાલાળાતાલુકાના ગુંદરણ ગામે તાજેતરમાં બનેલી મારામારીની ઘટનામાં ન્યાયીક તપાસની માંગ ઉઠવા પામી છે.

મામલે જૂનાગઢ સીદી સેવા સમાજે જિલ્લા વહિવટી તંત્રને આવેદન આપી સત્વરે યોગ્ય કરવા રજુઆત કરી છે. આવેદનમાં પ્રમુખ નુરમામદ મકવાણાએ જણાવ્યું છે કે ગત તા.28 ઓકટોબરના રોજ ગુંદરણ ગામે આહિર અને સીદી આદીવાસી જ્ઞાતિના લોકો વચ્ચે કોઇ કારણોસર મારામારી સર્જાઇ હતી. જોકે ઘટનામાં પોલીસે દોષીતોને સજા કરવાના બદલે તેને છાવરી અને નિર્દોષ પર જુલ્મ કર્યો છે.ઉપરાંત મોટા માથાની બાદબાકી કરી દેવામાં આવી છે.ત્યારે બનાવમાં ન્યાયીક તપાસ કરવામાં આવે અને નિર્દોષ સજાનો ભોગ બને અને દોષિત વ્યકિતને સજા મળે તેવી કાર્યાવહી કરવા માંગ છે. ઉપરાંત ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ કરી ગામની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારને પણ સજા કરવાની માંગ કરાઇ છે.

No comments: