Monday, November 13, 2017

ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ

Bhaskar News, Junagadh | Last Modified - Nov 05, 2017, 01:07 AM IST
ગિરનારની લીલી પરિક્રમા 8.68 લાખ લોકોએ પૂર્ણ કરી છે. કેટલાક યાત્રાળુઓએ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ફેક્યું હતું
ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ
ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીમાં સફાઇ કરાઇ
જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઇ છે. પરિક્રમા રૂટ ઉપર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઠલવાયું છે ત્યારે જુદી-જુદી સંસ્થાઅો દ્વારા સફાઇ કરવામાં આવી રહી છે. જૂનાગઢ દેવીપુજક ગૃપ દ્વારા બોરદેવી ખાતે સફાઇ કરવામાં આવી હતી.

ગિરનારની લીલી પરિક્રમા 8.68 લાખ લોકોએ પૂર્ણ કરી છે. કેટલાક યાત્રાળુઓએ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ફેક્યું હતું. પરિક્રમા બાદ હવે જૂનાગઢની જુદી-જુદી સામાજીક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ દેવી પુજક સમાજનાં દેવી ગૃપ દ્વારા શનિવારે બોરદેવી ખાતે શ્રમયજ્ઞ કરવામાં આવ્યો હતો. દેવી ગૃપનાં યુવાનોએ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો હતો.

No comments: