Wednesday, November 15, 2017

અમરેલીઃ સમઢિયાળામાં શિકાર કરવા આવેલી સિંહણ કુવામાં ખાબકી

Jaydev Varu, Amreli | Last Modified - Nov 01, 2017, 12:36 AM IST
વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી
અમરેલીઃ રાજુલા તાલુકાના સમઢિયાળા ગામ ખાતે એક ખેડૂતની વાડીમાં પશુનો શિકાર કરવા માટે સિંહણ આવી હતી, જોકે શિકારનો પીછો કરતા-કરતા સિંહણ કુવામાં ખાબકી હતી. આ વાતની જાણ આસપાસના ખેડૂતોને થતાં તેમણે તુરંત જ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી.
સ્થાનિક સિંહ પ્રેમી આતાભાઈ વાઘ પણ દોડી આવ્યા હતા, બાદમાં મોટી સંખ્યામાં સિંહ દર્શન કરવા માટે આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થાનિક ખેડૂતનો વાવેલા કપાસમાં ભારે નુક્સાન કરતા ખેડૂત વન વિભાગ અને સ્થાનિકો સામે રોષે ભરાયા હતા. ખેડૂત એ હદે રોષે ભરાયા હતા કે તેમણે વન વિભાગને જણાવ્યું હતું કે ખેતરમાં થયેલા નુક્સાનનું વળતર આપો ત્યારે જ તમારી ગાડી અને સિંહણને અહીંથી લઇ જવા દેવામાં આવશે.
પરિસ્થિતિ ઉગ્ર બને તે પહેલા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અમુક સમય માટે અહીંથી વન વિભાગને સિંહણને લઇ જવી મુશ્કેલ બની ગઇ
હતી. વન વિભાગે સ્થાનિક ખેડૂતને વળતર આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

વનતંત્ર અને વાડી માલિકો વચ્ચે ટકરાવ

અહીં વનતંત્રનું રેસ્ક્યુ ઓપરેશન નિહાળવા લોકોના ટોળેટોળા એકઠા થતા કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેના કારણે વન તંત્ર અને વાડી માલિક વચ્ચે ટકરાવ થયો હતો મહિલા ખેડૂતે  તંત્ર સામે રોષ વ્યક્ત કરી વળતર ન મળે ત્યાં સુધી સિંહણને ન લઈ જવા જીદ કરાઈ હતી જેના કારણે તંત્રને પણ પરસેવો વળી ગયો હતો. 

પોલીસે મામલો થાળે પાડયો

ખેડૂત પરિવારે પાકને નુકસાન અંગે વળતરની માંગણી કરતા મામલો થોડીવાર તંગ બન્યો હતો. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. વનતંત્રે પણ નુકસાનીના વળતરની ખાતરી આપી હતી.

સિંહોની સુરક્ષામાં છીંડા: આતાભાઇ

સ્થાનિક સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતું કે વનતંત્રએ જાગરૂકતા દાખવી ખુલ્લા કુવાઓ સુરક્ષીત થાય તે માટે પ્રયત્ન કરવા જોઇએ. વારંવાર આવી ઘટના બને છે અને સાવજોની સુરક્ષામાં છીંડા જોઇ શકાય છે.
વનતંત્ર અને વાડી માલિકો વચ્ચે ટકરાવ
અહીં વનતંત્રનું રેસ્ક્યુ ઓપરેશન નિહાળવા લોકોના ટોળેટોળા એકઠા થતા કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેના કારણે વન તંત્ર અને વાડી માલિક વચ્ચે ટકરાવ થયો હતો મહિલા ખેડૂતે  તંત્ર સામે રોષ વ્યક્ત કરી વળતર ન મળે ત્યાં સુધી સિંહણને ન લઈ જવા જીદ કરાઈ હતી જેના કારણે તંત્રને પણ પરસેવો વળી ગયો હતો. 

પોલીસે મામલો થાળે પાડયો

ખેડૂત પરિવારે પાકને નુકસાન અંગે વળતરની માંગણી કરતા મામલો થોડીવાર તંગ બન્યો હતો. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. વનતંત્રે પણ નુકસાનીના વળતરની ખાતરી આપી હતી.
 
સિંહોની સુરક્ષામાં છીંડા: આતાભાઇ

સ્થાનિક સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતું કે વનતંત્રએ જાગરૂકતા દાખવી ખુલ્લા કુવાઓ સુરક્ષીત થાય તે માટે પ્રયત્ન કરવા જોઇએ. વારંવાર આવી ઘટના બને છે અને સાવજોની સુરક્ષામાં છીંડા જોઇ શકાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-lioness-drown-in-well-during-chasing-animal-gujarati-news-5733927-PHO.html?seq=2


No comments: