Saturday, September 29, 2018

ગુજરાતમાં પશુ ચિકિત્સકોની જરૂરીયાત 280ની, સરકારે 40ની ભરતી બહાર પાડી

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 02:00 AM

અમરેલી જિલ્લાના પશુ ચિકિત્સકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી


રાજયમા પશુ ચિકિત્સા અધિકારીની ભરતી વર્ષો બાદ આવી હતી અને 280 બેઠક ભરવાની હોય પશુ ચિકિત્સક અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો માટે ખુશીના સમાચાર હતા. જો કે બાદમા જાહેર સેવા આયોગ દ્વારા માત્ર 40 બેઠકો માટેની જાહેરાત જ બહાર પડાતા હાલ ડિગ્રી ધરાવતા પશુ ચિકિત્સકોમા નિરાશા સાંપડી રહી છે.

અમરેલીના ડો.દિગ્જય કાબરીયા, ડો.પંકજ સોંદરીયા, ડો.સુમન ત્રિવેદી, ડો. કશ્યપ ત્રિવેદી, ડો.શૈલેષ, ડો.મિલન સહિતે કલેકટર મારફત રાજયપાલને આવેદન પાઠવ્યું હતુ.

જેમા જણાવાયું હતુ કે રાજય કૃષિ અને પશુપાલન ઉપર આધારિત હોવા છતા પશુ ચિકિત્સા અધિકારીની ભરતીમા 85 ટકા જેટલો કાપ મુકવામા આવ્યો છે. ત્યારે જીપીએસસી દ્વારા અગાઉ બહાર પાડેલ કેલેન્ડર પ્રમાણે 280 બેઠકો પર ભરતી કરવામા આવે તેવી માંગણી કરાઇ છે.

પશુઓની તંદુરસ્તી રામભરોસે

પશુ ચિકિત્સકોની અનેક જગ્યાઓ ખાલી હોય હાલ પશુ ચિકિત્સકોને વધારાનો ચાર્જ સોંપી દેવામા આવે છે જેના કારણે કામગીરીનુ ભારણ વધી જાય છે. ઉપરાંત ગરીબ પશુપાલકોના ઢોર રામભરોસે છોડી દેવામા આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020039-2603451-NOR.html

No comments: