Saturday, September 29, 2018

ખૂણેખૂણે વસતા સાવજો કઈ હાલતમાં છે અને ખાસ કરીને બીમાર છે કે કેમ ? તે માહીતી એકઠી કરાશે

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM

ગીરની દલખાણીયા રેંજના 13 સાવજો તંત્રની ઘોર બેદરકારીના કારણે મોતને ભેટયા છે ત્યારે હવે વનતંત્રને રાંડ્યા પછી...


સાવજોના એક પછી એક થઈ રહેલા મોત બાબતે વનતંત્ર એક પછી એક વિરોધાભાસી કામો કરી રહ્યું છે. એક તરફ વનતંત્ર આ તમામ સાવજોના મોત ઇનફાઇટથી થયાનું જાહેર કરે છે. અને બીજી તરફ ગીરના સાવજો પર કોઈ જોખમ હોય તેમ તમામ સાવજોનું સ્કેનીંગ કરવાનો નિર્ણય પણ કરી રહ્યું છે.

દલખાણીયા રેન્જમાં મૃત્યુ પામેલા 13 સાવજોને બીમારી ભરખી ગયાની પ્રબળ આશંકા છે.વનતંત્ર એ વાતનો સ્વીકાર કરતું નથી પરંતુ કામ તો એ દિશામાં જ કરી રહ્યું છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વનવિભાગ દ્વારા ગીરના તમામ સાવજોનું સ્કેનિંગ કરવાનો નિર્ણય કરાયો છે. અને આ માટે જુદી જુદી 64 ટુકડીઓની રચના કરવામાં આવી છે. જેના થકી ગીર અને આસપાસના વિસ્તારમાં ખૂણેખૂણે વસતા સાવજો કઈ હાલતમાં છે અને ખાસ કરીને બીમાર છે કે કેમ ? તે જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020113-2807881-NOR.html

No comments: