Saturday, September 29, 2018

સાવરકુંડલાનાં ધારમાં રોજડાએ પછાડી દેતા ખેડૂતનંુ મોત થયું

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 02:01 AM

ખેતરે કપાસનું ધ્યાન રાખતા હોય રોજડાનું ટોળુ ધસી આવ્યું


રોજડાએ પછાડી દેતા ખેડૂતના મોતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ધાર ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા નરસિંહભાઇ રામજીભાઇ કાકડીયા (ઉ.વ.65)નામના ખેડૂત પોતાના ખેતરમા કપાસનુ ધ્યાન રાખતા હતા. ત્યારે અચાનક 10 થી 12 રોજડાનુ ટોળુ ધસી આવ્યું હતુ.

રોજડાના ટોળાએ આ વૃધ્ધ ખેડૂતને હડફેટે લઇ ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ અંગે પરશોતમભાઇ રામજીભાઇ કાકડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરતા બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જી.આર.ધાધલ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020133-2800287-NOR.html

No comments: