Saturday, September 29, 2018

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે

Divyabhaskar.com | Updated - Sep 23, 2018, 02:00 AM

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે જંગલ અને પ્રકૃતિના જાણકાર છે. ગીરના જાણકાર છે. સાવજોની હાજરી,...

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે જંગલ અને પ્રકૃતિના જાણકાર છે. ગીરના જાણકાર છે. સાવજોની હાજરી, બિમારી કે ઇજા વિગેરે વિશે રજેરજની માહિતી તેમની પાસે હોય છે. પરંતુ વનતંત્રમા ગીરની જરા પણ જાણકારી ન હોય તેવા કર્મચારીઓની ભરતી થાય છે. પરપ્રાંતિય અધિકારીઓ અહી સાહેબ બનીને આવે છે. જંગલની રક્ષાના નામે ભ્રષ્ટાચાર તો થાય જ છે. પરંતુ વન્યજીવોના કમોત અંગે ઉપર સુધી પુરી જાણકારી ન પહોંચે અને પગલા ન લેવાય તે માટે સાવજોના મોત જેવી ગંભીર ઘટનાઓ છુપાવાય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓએ લોકો સામે કાયદાનો દંડો પછાડી સંબંધો ખરાબ કરી દીધા છે. જેથી હવે લોકો વનતંત્રને કોઇ જાણકારી આપતા પણ ડરે છે. અને ભ્રષ્ટ કર્મચારીઓ ઘરમા પડયા પડયા નોકરી કરે છે જેનુ પરિણામ એ આવ્યુ કે સાવજો કુતરાના મોતે મરી રહ્યાં છે. ત્યારે અહીના પ્રકૃતિપ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે કે વનતંત્ર સાવજોને નામશેષ કરવા બેઠુ થયુ છે કે શું ?.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020029-2792380-NOR.html

No comments: