Wednesday, July 31, 2019

ગિરનારના 2000 પગથિયા નજીકથી પટકાતાં આધેડનું મોત

DivyaBhaskar News Network

Jul 18, 2019, 06:45 AM IST
જૂનાગઢના ગિરનાર પર્વત પરના 2000 પગથિયા નજીકના જંગલમાં વેલનાથ બાપુની સમાથી પાસેના પગથિયા પર પડી જતા અજાણ્યા આધેડનું મોત નિપજ્યું હતું અને કોહવાયેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો હતો. પોલીસમાંથી મળતી વિગત મુજબ ગિરનાર પર્વતના 2000 પગથિયાથી ઉતરે જંગલમાં 500 મીટર દૂર એક અજાણ્યા આધેડનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ઉપરકોટ પાસેના ફોરેસ્ટ ક્વાટરમાં ઘાંચીવાડામાં રહેતા કલનભાઇ કડચા પારગીને જાણ થતા ભવનાથ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જંગલમાં આવેલ વેલનાથ બાપુની સમાધી પાસે ઉપરની છીપરમાં પડી જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જેને કારણે મૃતદેહ કોહવાય ગયો હતો. ભવનાથ પોલીસે અજાણ્યા આધેડનો મૃતદેહ પીઅેમ માટે મોકલી આગળની તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar39s-2000-step-by-step-crusade-064515-5025189-NOR.html

No comments: