Wednesday, July 31, 2019

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ ટ્રેનમાં આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા

  • વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના

Divyabhaskar.com

Jul 12, 2019, 05:35 PM IST
જૂનાગઢ: એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા. આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતા.
ઓખા સ્ટેશનથી ઓખા-ગુવાહાટી ટ્રેનમાં મોકલાયા
બે સિંહોને ઓખા રેલવે સ્ટેશનથી ઓખા-ગુવાહાટી ટ્રેન મારફત મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક સમયે નવાબી કાળમાં પણ રેલવે માર્ગે સિંહોનું આવાગમન થતું હતું. બે સિંહોને પાંજરામાં પૂરી ટ્રેનના એક ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. અને ડબ્બામાં સિંહો માટે પૂરી સુવિધા રાખવામાં આવી છે.
(નિમિષ ઠાકર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-lion-gone-to-guwahati-zoo-by-train-at-okha-railway-station-1562922340.html

No comments: