Wednesday, July 31, 2019

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાયલ ખાતે તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિત

DivyaBhaskar News Network

Jul 08, 2019, 06:45 AM IST

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાયલ ખાતે તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિત મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણી, પક્ષીઓને જોવા માટે રોજના મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વધતી જતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પક્ષી, માસાહારી અને તૃણભક્ષી પ્રાણીઓ લઇ આવવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ ચિલોત્રાને જોવા વગર જતા નથી. ચિલોત્રો એક એવું પક્ષી છે કે જેની ચાંચ મોટી હોય છે. મોટી ચાંચને કારણે લોકોમાં આકર્ષણ જમાવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતા બે ચિલોત્રાને 1 વર્ષ પહેલા જામનગરથી લઇ આવવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ જામનગરના જામસાહેબ બાપુએ બે નર ચિલોત્રા રાખ્યા હતા જેથી આ બન્ને ચિલોત્રાને હવે સક્કરબાગમાં લઇ આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ચિલોત્રા પક્ષી સાઉથ ઇન્ડીયન, ભુતાન, નેપાળ અને ઇન્ડોનેશીયામાં જોવા મળે છે. જેમનું વજન અઢી થી ચાર કિલો હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-at-trimbakeshwar-rani-reptilia-at-junagadh-sakkarbaag-animal-collection-064508-4946959-NOR.html

No comments: