Wednesday, July 31, 2019

ગિરનાર પર વિજ પુરવઠાની ખુલી પેટીઓ હોય શોર્ટ સર્કિટનો ભય

DivyaBhaskar News Network

Jul 18, 2019, 06:45 AM IST
જૂનાગઢના ગરવા ગિરનાર પર તંત્રઅે વિજ પુરવઠો પહોંચાડી દીધો છે પરંતુ આ વિજ પુરવઠો ક્યારેક અકસ્માત સર્જી શકે છે. ગિરનાર પરના જૈન દેરાસર, અંબાજી મંદિર, ગોરખ નાથ અને ગુરૂ દત્તાત્રેય શિખર ચઢવા માટે રોજના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોવા મળે છે. તંત્ર દ્વારા ગિરનાર પર વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે વિજ પુરવઠાની ખુલ્લી પેટીઓ જોવા મળે છે જે અકસ્માત સર્જી શકે છે તેમજ શોટ સર્કિટ થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગિરનાર પરની વિજ પુરવઠાની ખુલ્લી પેટીઓ બંધ કરવા લોકોમાં માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fear-of-short-circuit-to-have-open-boxes-of-power-supply-on-girnar-064505-5025206-NOR.html

No comments: