Wednesday, July 31, 2019

સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો

DivyaBhaskar News Network

Jul 16, 2019, 06:40 AM IST
જૂનાગઢ | સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે. ગિરનાર હિમાલયથી પણ જૂનો છે. ચોમાસામાં અહીં કાશ્મીર જેવો માહોલ હોય છે. ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે. ગિરનાર પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે,જેની ઊંચાઈ 3663 ફૂટ છે. દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે. ગિરનારમાં સાત શિખર છે. ફોટો : મેહુલ ચોટલિયા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-in-skabad-poora-girnar-was-referred-to-as-bauhavatachal-064017-5009194-NOR.html

No comments: