Wednesday, November 17, 2010

ગિરનારની આગોતરી પરિક્રમા પર પ્રતિબંધ લાદો.

Nov 13,2010
જૂનાગઢ, તા.૧૨
ગરવા ગિરનારના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વર્ષોથી યોજાતી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે કેટલાક શ્રધ્ધાળુઓ નિયત સમય પહેલા જ પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય પાણી પ્રદુષિત થવા સાથે આ વિસ્તારમાં ગંદકી પણ ફેલાતી હોવાની રાવ સાથે જૂનાગઢ ભારત સાધુ સમાજે પરિક્રમાના રૃટ પર વોચ ગોઠવી શ્રધ્ધાળુઓ નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે સંબંધિત તંત્ર સમક્ષ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.
પરિક્રમા ચાલુ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ જૂનાગઢ શહેર અને ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં ઉમટી પડેલ માનવ મહેરામણને કારણે આ વર્ષે પણ પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ જોડાવાની શકયતા સેવાઈ રહી છે. ત્યારે ભારત સાધુ સમાજે જૂનાગઢ નાયબ વન સંરક્ષકને પત્ર પાઠવી અન્નક્ષેત્રમાં ગેસ લીકેજ થાય તો ભયાનક આગ લાગવાની ભીતી વ્યકત કરી અન્નક્ષેત્રોને બળતણ માટે લાકડા પુરા પાડવાની, પરિક્રમા રૃટ વિસ્તારમાં કચરા પેટી રાખવા તેમજ નાના ધંધાર્થીઓને તંબુ , રેકડી કે સ્ટોલ નાંખવાની મંજૂરી આપવા માંગણી કરી છે.
આ પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર વન ખાતા દ્વારા દામોદર કુંડ પછીના રસ્તા ઉભી કરાતી દિવાલોને કારણે ટ્રાફીક સમસ્યા ઉભી થાય છે. ત્યારે હાલમાં વનખાતા દ્વારા ચાલતું આ કામ અટકાવી ૬૦ ફુટના આ રોડને ૧ર૦ ફુટનો કરવો જોઈએ. તેમજ પરિક્રમા દરમિયાન કોઈ અસામાજીક તત્વો ભીડનો લાભ ન ઉઠાવે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તેમજ ધંધાર્થીઓ પરિક્રમાર્થીઓ પાસેથી કોઈ પણ વસ્તુંના બમણા ભાવ ન વસુલે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા પત્રના અંતે માંગણી કરવામાં આવી છે.
પરિક્રમા માટે આગેવાનોની ખાસ કમિટી બનાવો
જૂનાગઢઃ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જંગલ વિસ્તારમાં દાખલ કરાયેલ કાળો કાયદો અને અમલદારશાહીનો ઘણીવાર નાના ધંધાર્થીઓ તથા સેવાભાવી સંસ્થાઓ અને યાત્રાળુઓ ખોટી રીતે ભોગ બનતા હોવાની રાવ સાથે ભાજપના સામ્યવાદી પક્ષ માર્કસવાદી જૂનાગઢ જિલ્લા સમિતિએ નિર્દોષ શ્રધ્ધાળુ કે અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થા આવા કાળા કાયદાનો ભોગ ન બને તે માટે ગુજરાત સરકાર સમક્ષ પરિક્રમા માટે જૂનાગઢના તમામ રાજકીય પક્ષો, સેવાભાવી સંસ્થાઓ અને પત્રકારોની એક કમિટી બનાવવા માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238287

No comments: