Wednesday, November 17, 2010

ફોટોસ્કેચમાં જોવા મળશે ગિરનારની ભવ્યતા.

Source: City Reporter, Ahmedabad   |   Last Updated 3:04 AM [IST](30/06/2010)
‘‘જ્યારે પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ ૩૬૦ ડિગ્રી છે, વર્ષના દિવસો પણ ૩૬૫ છે અને ગિરનારની પરિક્રમા પણ ૩૬ કિ.મી.ની છે તો હું માનું છું કે આ બધાંની વચ્ચે રહસ્યમય પ્રાકૃતિક સંબંધ જોડાયેલો હોવો જોઈએ’’ એમ કહેનાર લોકગીત ગાયક બાબુભાઈ રાણપરા માને છે કે આ ૩૬ના આંકડાનો મેળાપ અગમ-નિગમની વાત છે.
હિમાલયથી પણ જુના ગિરનારના જાણે દરેક પથ્થરમાં પરંપરા અકબંધ છે. આ જ કારણે ૩૬ના આંકડાના પ્રાકૃતિક રહસ્યને સર કરવા ગિરનારના ૩૬ ચિત્રો દોરવાનું તેમણે નક્કી કર્યું છે. એમાં સામેલ ચિત્રકાર ભુજના જિગર સોની હાલમાં ગિરનારના ૩૬ ચિત્રો બનાવવામાં કાર્યરત છે.
બાબુભાઈ ગિરનાર પર હોય ત્યારે ર્દશ્યના વોટરસ્કેચ કરે છે અને થોડા ફોટા પાડી લે છે. પછી ઘરે આવીને તે કેન્વાસ પર ઓઈલ કલર દ્વારા પેઈન્ટિંગ તૈયાર કરે છે. દરેક ૧ કિ.મી. ની પરિક્રમા ઉપર એક પેઈન્ટિંગ, આવું કામ પ્રથમવાર જ થશે. આ ૩૬ પેઈન્ટિંગનું એક્ઝિબશિન અમદાવાદમાં યોજાશે, આ પહેલા જુનાગઢમાં એક્ઝિબશિન યોજવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-photo-sketch-girnar-parikrama-ahmedabad-1107541.html?PRV=

No comments: