Tuesday, November 23, 2010

આંકોલવાડીમાં સરકારી અને ગૌચરની જમીનમાં દબાણ.


તાલાલા તા.૨૧
તાલાલા તાલુકાના આંકોલવાડીગીર ગામની સરકારી અને ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ તુરંત દૂર કરાવવા ગામના સરપંચ રામજીભાઇ બચુભાઇએ ગ્રામસભામાં માગણી કરી હતી. આંકોલવાડીગીર ગામે સરકારમાંથી નિયુકત થયેલ લાયઝન અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી. આ ગ્રામસભામાં સરપંચશ્રી એ ગામની સરકારી - ખાનગી અને ગૌમાતાની ગૌચર જમીનમાં થયેલ પેશકદમી દૂર કરી ગ્રામ્ય પ્રજા અને ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા માગણી કરી હતી.
આ ગ્રામસભામાં ઉપસ્થિત નાગરીકોએ તાલાલા - કેશોદ - માળીયા અને ઉના સહિતના સોરઠના ચાર તાલુકા માટે અતિ ઉપયોગી ઉના - કેશોદ એસ.ટી.બસનો બંધ કરેલ એસ.ટી.રૃટ તુરંત શરૃ કરવા સહિતના લોક ઉપયોગી પ્રશ્નો રજૂ કર્યા હતાં.
સભામાં ઉપસ્થિત લાયઝન અધિકારીએ આ અંગે જેને ડીપાર્ટમેન્ટ સમક્ષ ગ્રામજનોની રજૂઆત ભલામણ સાથે પહોંચાડી ઘટતંુ કરવા ખાત્રી આપી હતી. આ ગ્રામ સભાનું સંચાલન તલાટી કમ મંત્રી કે.કે. છાંટબારે કર્યુ હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=240585

No comments: