Wednesday, November 17, 2010

જૂનાગઢ દામોદરકુંડમાં ડૂબતા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ.

જૂનાગઢ, તા.૧૬:
ગિરનાર પરિક્રમામાં આવતા લાખ્ખો ભાવિકો પવિત્ર એવા દામોદર કુંડમાં પણ સ્નાન કરતા હોય છે. ત્યારે કૂંડના ઉંડાણવાળા ભાગમાં ડૂબતા યાત્રિકોને બચાવવા માટે સેવાભાવિ યુવાનોની ખાસ રેસ્ક્યૂ ટીમ તૈનાત રહેશે.જૂનાગઢના નરસિંહ સરોવરમાં બોટીંગનો કોન્ટ્રાક્ટ ચલાવતા વિશાલ નૈકાયાનના વિજયભાઈ જોટવાની આગેવાની હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી દામોદર કૂંડ ખાતે કૂશળ તરવૈયાઓની ટીમ યાત્રિકોની બચાવ કામગીરી માટે તૈયાર રહે છે.પરિક્રમાના કારણે દામોદર કૂંડમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતી હોય છે. ચાર-પાંચ દિવસ માટે તો પગ મૂકવાની જગ્યા હોતી નથી. તેવી સ્થિતિમાં કૂંડના કેટલાક ઉંડાણવાળા ભાગમાં ભૂલથી જઈ ચડેલા યાત્રિકો ડૂબી જવાના અકસ્માતો બનતા હોય છે.આવી સ્થિતિને પહોંચી વળવાની કામગીરી આ ટીમ દ્વારા કરવામાં આવશે. વિનામુલ્યે સેવા આપતી આ ટીમ પાસે લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ અને દોરી જેવા સાધનો પણ છે. અને છેલ્લા બે વર્ષમાં ટીમે ૩૦ થી વધુ માનવ જીંદગી ડૂબતી બચાવી છે. આ ટૂકડી આ વર્ષે પણ યાત્રિકોની બચાવ કામગીરી કરશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239372

No comments: