Friday, November 19, 2010

દરિયા કાંઠાના ઉદ્યોગથી ગીધ અને વ્હેલ પર ખતરો.


કોડીનાર - કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠે સૂચિત બંદરથી પર્યાવરણને થનારી અસરો અંગે જન જાગૃતિ અભિયાનના ભાગ રૃપેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રોજેકટ રીપોર્ટમાં કરેલી રજૂઆતો અંગે પર્યાવરણના તજજ્ઞાો દ્વારા સમજણ આપવામાં આવી હતી. અને આવતી કાલ તા.૧૯ના રોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાનાર પર્યાવરણ લોક સુનવણીમાં ખાનગી જેટીના કારણે થનારા પર્યાવરણ પ્રદુષણ અંગે રજૂઆતો કરવા જણાવાયું હતું.
સુચિત ઉદ્યોગથી આવનારા દિવસોમાં આ વિસ્તારના દરિયા કાંઠા ઉપર લુપ્ત થતી જાતી પક્ષીરાજ ગીધ જે માત્ર આજ વિસ્તારમાં જોવા મળ્યા છે તે નસ્ટ પામશે તેમજ આ કાઠા ઉપર વહેલ માછલીની જાત જોવા મળે છે. જે શિયાળા દરમ્યાન પોતાના બચ્ચાને જન્મ આપી જતન કરે છે. આ વિસ્તારમાં માછીમારો પણ જયારે ફીશીંગ દરમ્યાન જાળમાં વહેલ માછલી પકડાઈ છે ત્યારે જાળ કાપી નુકશાન વેઠીને પણ વહેલ માછલીને મુકત કરે છે.
આમ પર્યાવરણના ભોગે દરિયાકાંઠા વિસ્તારના ઉદ્યોગ લોકોને આવકાર્ય નથી. લોકોમાં પર્યાવરણ અંગે લોકજાગૃતિ કેળવવા અસરગ્રસ્ત ગામોમાં બેઠક બોલાવવાનું તેમજ દરેક ગામના લોકોની એક કમીટી બનાવી તબક્કાવાર કાર્યક્રમો આપવા આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/20101119/gujarat/sau4.html

No comments: