Tuesday, November 23, 2010

ગીર ગાયનું બ્રાઝિલમાં શ્રેષ્ઠ સંવર્ધન અને સંરક્ષણ.

આણંદ - ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણ જયંતીના ઉજવણી વર્ષમાં દેવદિવાળીના સપરમા પર્વ પર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદ જિલ્લાના પેટલાદ ખાતે યોજાયેલા સ્વર્ણિમ પશુ આરોગ્ય મેળાનો શુભારંભ ગુજરાતનું ગૌરવ ગીર ગાયનું પૂજન કરીને કરાવ્યો હતો. પેટલાદના કાજીપુરા વિસ્તારના પશુપાલક દીપકભાઈ ભીખાભાઈ પટેલને તેમની ગીર ગાયનું મુખ્યમંત્રીના હસ્તે પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
ગીર ગાયના પૂજન બાદ મુખ્યમંત્રીએ સ્વર્ણિમ પશુ આરોગ્ય મેળામાં પશુ સારવારના સ્ટોલ્સની અદ્યતન અને આધુનિક તબીબી સાધનો દ્રારા થતી સારવાર તથા ઔષધિઓના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ઉદ્દબોધનમાં ગુજરાતની ગીર ગાય પશ્ચિમ જગતના બ્રાઝિલ દેશમાં લઈ જઈને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરતા ગુજરાતની ગીર ગાય કરતા વધુ સક્ષમ બની છે. ગીર ગાયની ઉત્તમ ઓલાદોના સંવર્ધનનું સંશોધન કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. આજે ગુજરાત કરતાં બ્રાઝિલમાં ગીર ગાયોની સંખ્યા વધી છે.
Source: http://www.gujaratsamachar.com/20101123/gujarat/kheda1.html

No comments: