Wednesday, November 17, 2010

પરિક્રમાનાં ઉદ્ઘાટનમાં બંદૂક પોલીસ જ ફોડશે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:14 PM [IST](16/11/2010)
ગરવા ગઢ ગીરનારની પાવનકારી પરિક્રમા સત્તાવાર શરૂ કરવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે આ વખતે તેનાં ઉદઘાટન વખતે બંદૂકનાં ભડાકા પોલીસ જ કરશે. એમ એસ.પી. દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રકારનાં જાહેર પ્રસંગોએ સશસ્ત્ર પોલીસમેન તેની સરકારી રાયફલમાંથી બ્લેન્ક રાઉન્ડ ફાયર કરે છે. જેમાં ફક્ત અવાજ થાય છે. પરંતુ ગોળી છુટતી નથી. આવા બ્લેન્ક રાઉન્ડ ફાયર કરવા માટે પરવાનગીની કોઇ જોગવાઇ નથી. આથી જો ઉદઘાટન વખતે ભડાકો કરવાની સુચના મળશે તો એ ફક્ત પોલીસ દ્વારા જ કરાશે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પોલીસ રાયફલની ગેરહાજરીને લીધે મેયર કેપ્ટન સતીષ વીરડા અને ગીરીશ કોટેચાએ લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયર કર્યો હતો. બાદમાં વિવાદ ઉભો થતાં તેમની સામે ગુનો પણ નોંધાયો હતો. બાદમાં આ મામલે ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજીએ પરંપરા નિભાવવા મેયરે રીવોલ્વરમાંથી ફાયર કર્યાની રજૂઆત કરી તેમની સામે નોંધાયેલા ગુના સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gun-will-fire-police-in-parikrama-opening-1555559.html

No comments: