Wednesday, January 31, 2018

સાજણટીંબામાં શોર્ટ સર્કીટ થતા 110 મણ ઘાસ સળગી ગયું

DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 10:20 AM IST
લીલીયાના સાજણટીંબા ગામની સીમમાં પીજીવીસીએલના તારના શોર્ટ સરકીટના કારણે ખેતરમાં આવેલ 15 હજારની કિમતનું 110 મણ ઘાસ સળગી ગયુ હતુ. આ બારામાં લીલીયા પોલીસ મથકમાં જાહેર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.લીલીયા તાલુકાના સાજણટીંબામાં ગામમાં રહેતા રમેશભાઇ ખીમજીભાઇ તોગડીયા નામના ખેડૂતને અહીની સીમમાં ખેતરમાં આવેલ છે. જેઓના ખેતરમાં પીજીવીસીએલના તાર નિકળેઇ છે. જે તારમાં શોકસર્કિટ થતાં ખેતરમાં પડેલુ રૂ.15 હજારની કિમતનું 110 મણ ઘાસ બળીને ખાક થઇ ગયો હતો. આ સાથે એક લીમડો પણ બળી ગયો હતો. ગઇકાલે આ બારામાં ખેડૂતે લીલીયા પોલીસમાં જાણ કરી હતી.

No comments: