Wednesday, January 31, 2018

ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા


Bhaskar News, talala | Last Modified - Jan 24, 2018, 01:20 AM IST
તાલાલાથી 16 કિમી વાડલાનાં પાંડવેશ્વર મંદિર પાસે એ.પી. સેન્ટર
ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા
ગીરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી ઘર બહાર દોડી ગયા
તાલાલા: ગીર પંથકમાં મંગળવારે સાંજે 6.32 કલાકે જમીનમાંથી ઉદભવેલા તીવ્ર આંચકાએ પંથકને ધ્રુજાવી નાંખેલ. આંચકાની અસર સાસણથી લઇ સોમનાથ મંદિર સુધી થઇ હતી.તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં મંગળવારે સાંજે 6.32 કલાકે આવેલ ભુકંપનાં ભારે આંચકાથી તાલાલા પંથકનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસર થઇ હતી. ભુકંપની તીવ્રતા વધુ હોય પરંતુ અસર માત્ર પાંચ સેકેન્ડ રહેતા કોઇ નુકશાની થયેલ નહોતી. ગાંધીનગર ડેટા સેન્ટરનાં જણાવ્યા મુજબ ભુકંપની તીવ્રતા 3.8 મેગ્નીટયુટ નોંધાઇ હતી. એ.પી. સેનટર તાલાલાથી 16 કિમી દુર નોર્થ- ઇસ્ટ દિશામાં વાડલા ગામમાં પાંડવેશ્વર મહાદેવ મંદિરની બાજુનાં ખેતરમાં નોંધાયું હતું. ભુકંપ જમીનમાં ઓછી ઉંડાઇએ એટલે 3.1 કિમીથી જ ઉદભવ્યો હોય ઓછી ઉંચાઇનાં લીધે ભારે ધ્રુજારી અનુભવાઇ હતી.

No comments: