Wednesday, January 31, 2018

વેરાવળ: કુવામાં પડી જવાથી સિંહણનું મોત, રેસ્કયુ કરી મૃતદેહને બહાર કાઢયો

Bhaskar News, Veraval | Last Modified - Jan 06, 2018, 02:54 AM IST
કુવામાંથી મૃતદેહને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે મોકલ્યો હતો
 
વેરાવળ: વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે એક વાડીનાં કુવામાં પડી જતાં સિંહણનું મોત થયું હતું. વડોદરા ડોડીયા ગામે ગટુભાઇ લખમણભાઈની વાડીના કુવામાં ગુરૂવારનાં રાત્રીનાં સમયે એક વર્ષની ઉંમરની સિંહણ પડી જતાં તેનું મોત નિપજયું હતું. વનતંત્રનાં સ્ટાફે રેસ્કયુ કરી કુવામાંથી મૃતદેહને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે મોકલ્યો હતો. વન વિભાગે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

No comments: