Wednesday, January 31, 2018

પક્ષી ઘાયલ થાય તો મોટા ખોખામાં શાંત જગ્યાએ રાખવું : 25ને તાલીમ અપાઇ

DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:10 AM IST
રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. પતંગનાં દોરામાં અનેક પક્ષીઓ આવી જશે. તેને બચાવવા માટે જૂનાગઢ વસુંધરા...
પક્ષી ઘાયલ થાય તો મોટા ખોખામાં શાંત જગ્યાએ રાખવું : 25ને તાલીમ અપાઇ
રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. પતંગનાં દોરામાં અનેક પક્ષીઓ આવી જશે. તેને બચાવવા માટે જૂનાગઢ વસુંધરા નેચર કલબ અને જીવદયા ચેરીટેલબ ટ્રસ્ટ દ્વારા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે અને રેસ્ક્યુ માટે 25 લોકોને તાલીમ આપવામાં આવી છે.

જૂનાગઢમાં રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિનાં લોકો પતંગ ઉડાડશે. પતંગનાં દોરામાં અનેક પક્ષી આવી જશે. પક્ષીને બચાવવા જૂનાગઢની વસુંધરા નેચર કલબ અને જીવદયા ચેરીટેબલ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કરૂણા અભિયાનને લઇ 25 લોકોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં પક્ષી ઘાયલ થાય કે કોઇ જગ્યાએ ફસાઇ જાય તો કેવી સાવધાની રાખવી અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની પક્ષીની સાઇઝ કરતા મોટા બોકસમાં રાખી દેવું અને બોકસમાં કાણાં પાડી દેવા જોઇએ.બાદ સારવાર માટે લઇ જવું જોઇએ. લોહી નિકળતું હોય તો પહેલા લોહી બંધ કરી સારવારમાં ખસેડવું જોઇએ. લોકોએ ઘાયલ પક્ષી માટે હેલ્પ નંબર 0285-2633700, મોબાઇલ નંબર 94084 53108, 97266 22108, 99093 90070 પર સંર્પક કરવાનો રહેશે.

No comments: