Wednesday, January 31, 2018

નાથળ ગામે જાળમાં ફસાયેલા બચ્ચાંને બચાવાયું, સનખડામાં દીપડો પાંજરે પુરાયો


Bhaskar News, Una | Last Modified - Jan 28, 2018, 01:10 AM IST
વનતંત્રએ રેસ્કયુ કરી વિખુટા પડી ગયેલા બચ્ચાને સારવારમાં ખસેડી માતા સાથે મિલન કરાવવા તજવીજ હાથ ધરી
ઊના: ઊના પંથકનાં નાથળ - મોટાડેસર ગામની વચ્ચે આવેલી વાડીમાં કાળુભાઇ લખમણભાઇ શિંગડે ઉભા પાકનાં વાવેતરને ભુંડ - રોઝડાનાં ત્રાસથી બચાવવા ફરતે જાળ બાંધેલી અને શુક્રવારનાં રાત્રીનાં સમયે દીપડાનું બચ્ચું તેમાં ફસાઇ ગયું હતું. સવારે વાડીએ ગયેલા કાળુભાઇએ આ દ્રશ્ય નિહાળતાં વનતંત્રને જાણ કરતાં રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી બચ્ચાને જાળમાંથી મુકત કરી પાંજરે પુરી જશાધાર એનિમલ કેર સેન્ટરે લઇ જતાં ત્યાં વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાઇ હતી. આ બચ્ચું તેના પરિવારથી વિખુટુ પડી ગયું હોય તેની માતા સાથે મિલન કરાવવા વનતંત્રે તજવીજ હાથ ધરી છે.

No comments: