Monday, June 7, 2010

સૌરાષ્ટ્ર-કચ્છમાં શૂટિંગ જીવનની યાદગાર પળો : અમિતાભ બચ્ચન.

રાજકોટ તા.૫:
ગુજરાત ટુરિઝમ માટે ખૂશ્બુ ગુજરાત કીડોક્યુમેન્ટરી માટે કચ્છ, સાસણ-ગીર અને બાદમાં સોમનાથ ખાતે શૂટિંગ પૂર્ણ કરી આજે સવારે ૧૦ કલાકે અમિતાભ બચ્ચન દિવથી મુંબઈ જવા રવાના થયા હતાં. આ પહેલાં તેમણે તેમનાં બ્લોગમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં શૂટિંગ એ મારા જીવનની યાદગાર પળો બની રહેશે. કચ્છ, સાસણ અને સોમનાથ વિષે વાંચ્યું જ હતું. પરંતુ તેની મૂલાકાત રોમાંચક બની રહી. ત્રણે સ્થળે શૃટિંગથી મને બેહદ આનંદ થયો છે.
સોમનાથ મંદિરના કલાત્મક સ્થંભ અને તેની કોતરણી અત્યંત આકર્ષક છે, દેશના બાર જયોતિલીંગમાં સોમનાથનો સમાવેશ કરાયો છે. તેનો ઉલ્લેખ પણ બ્લોગમાં કર્યા છે. જળ અને જમીન બંને એક જ જગ્યાએ હોય તેવું આ પ્રાચિન મંદિર કદાચ દેશમાં કોઈ અન્ય જગ્યાએ નહીં હોય, કારણ કે, સોમનાથ મંદિરમાંથી અફાટ સમુદ્રના દર્શન થઈ શકે છે. તેમ, બચ્ચને કહ્યું હતું. સોમનાથ મંદિરના ઈતિહાસની માહિતી પણ તેને સ્પર્શી ગઈ હતી.ગઈ કાલે સોમનાથમાં શૂટિંગ કરી સાંજે તેઓ સાસણ સિંહ સદનમાં પરત આવ્યા હતાં. અહીં રાત્રી રોકાણ કરીને આજે સવારે હળવો નાસ્તો કર્યા બાદ સાડા સાતેક વાગ્યાના અરસામાં સાસણથી વન વિભાગના ડી.સી.એફ. સંદિપકુમાર અને સ્ટાફે તેઓને વિદાય આપી હતી. બે કલાકની મુસાફરી બાદ અમિતાભ દીવ પહોંચ્યા હતાં. જ્યાંથી સવારે ૧૦ કલાકે તેઓ હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થયા હતાં. ગિર જંગલમાં વસતા સિંહો અને પ્રકૃતિસભર માહોલને ચાર દિવસ સુધી માણીને તેઓ ભારે ખુશ બન્યા હતાં. તેમજ વનવિભાગની કામગીરીને તેઓએ બિરદાવી હતી.
સિંહો વચ્ચે રહેવાની ખૂબ જ મજા પડી : બીગ બી
તાલાલા તા,પ : સિંહો વચ્ચે રહેવાની ખૂબ જ મજા પડી. સિંહ-સદન ખાતે રહેવાની વ્યવસ્થા ખૂબ જ સારી હતી. તેવું અમિતાભે સિંહ-સદન ખાતે લખેલી નોંધમાં જણાવ્યું હતું. તેમણે તમામ સ્ટાફ સાથે તસ્વીરો પડાવી તેઓને ખૂશ કરી દીધા હતાં. સિંહ-સદનમાં અમિતાભ માટે ભોજન તૈયાર કરનાર વીરસભાઈ દવે કહ્યું કે, તેલ અને સ્યુગર વગરનું સાદુ ભોજન જ તેઓ લેતા હતાં. ખાસ કરીને બટાટાનું શાક અને દહીં તેમને પ્રિય હતાં. બસએસએનએલની બ્રોડ બેન્ડ સેવાના પણ તેમણે વખાણ કર્યા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192427

No comments: