Wednesday, June 9, 2010

નાના જીવોની અજબગજબની જીવસૃષ્ટિ વિષે આપણે શું બહું ઓછું જાણીએ છીએ ?

ડિસ્કવરી - ડૉ. વિહારી છાયા છાપો ઈ-મેલ
શતદલ
આના લેખક છે GS NEWS   
સોમવાર, 07 જુન 2010
નાના જીવોની અજબગજબની જીવસૃષ્ટિ વિષે આપણે શું બહું ઓછું જાણીએ છીએ ?
આપણાં પગ તળેની એક ઘન ફૂટ માટીમાં નાનકડા જીવોની અદ્ભુત સૃષ્ટિ
જમીનની સપાટી અને ઉપરના સ્તરોમાં વસતી નાના જીવોની દુનિયા પૃથ્વી પર જીવન ટકાવવા આવશ્યક છે
જંગલી ઘાસ અને નિંદામણમાં અગણિત જંતુઓ સરકતા અને ગણગણતા હોય છે. અનેક ઇયળો અને કીટકો હોય છે. જેના નામ પણ ખબર નથી તેવા મરડાતા અને સંતાવા માટે નાસભાગ કરતા જીવો બગીચાની માટી ઉથલાવીએ ત્યારે જોવા મળે છે. પાંખવાળી કીડીઓ તેના માળાને અકસ્માત તોડવામાં આવે ત્યારે ઉડાઉડ કરતી જોવા મળે છે. આવી અદ્ભુત જીવસૃષ્ટિ આપણા પગ તળેની જમીનમાં હોય છે.
Descovery.gif પણને આપણા પગ નીચેની જીવસૃષ્ટિનો અંદાજ નથી. એક તસ્વીરકારે વિવિધ સ્થળોની ત્રણ અઠવાડિયા સુધી એક ઘનફૂટ માટીમાં એક મિલિમીટર કે તેનાથી મોટા જીવોની તસ્વીરો લીધી તો તેની સમક્ષ એક હજારથી પણ વઘુ જીવો તેમાં વસવાટ કરતા જણાયા એક ચોરસફૂટમાં દંગ રહી જવાય તેવી જીવસૃષ્ટિ જોવા મળી તે બહુ ઓછા લોકો જાણે છે તેવી ગુપ્ત સરહદ છે.
જમીનપર કોઈ પણ કુદરતી આવાસોમાં, જંગલની ઘટાઓમાં કે પાણીમાં તમારી નજર પ્રથમ તો મોટા પ્રાણી તરફ ખેંચાય છે. તેમાં પંખીઓ, આંચળવાળા એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ, માછલીઓ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. પરંતુ ધીમે ધીમે તેના કરતા સંખ્યામાં ઘણાં વધારે નાના નાના નિવાસી જીવો મોટા જીવોને ક્યાંય પાછળ રાખી દે છે. ત્યાં જંગલી ઘાસ અને નીંદણમાં અગણિત જંતુઓ સરકતા અને ગણગણતા હોય છે. ઇયળો હોય છે જેના નામ પણ ખબર નથી તેવા બગીચાની માટીમાં છોડ રોપવા ઉથલાવીએ ત્યારે મરડાતા અને સંતાવવા માટે નાસભાગ કરતા જીવો જોવા મળે છે.
તેમાં પાંખવાળી એવી કીડીઓ હોય છે જેના ટોળા તેના માળાને અકસ્માત તોડવામાં આવે ત્યારે ઉડાઉડ કરી મૂકે છે. પીળા પડી ગયેલા ઘાસના મૂળને ખોદતાં તેમાંથી વંદા જેવા જીવડા નીકળી આવે છે. તમે પથ્થરને ઉથલાવો છો ત્યારે ત્યાં તો વળી ઘણાં જીવો જોવા મળે છે. તમે નવજાત કરોળિયા અને ફુગના તાંતણાની જાળી નીચે છૂપાયેલા અજાણ્યા વિવિધ જાતજાતના પીળાશ પડતાં જંતુઓ જોવા મળે છે. નાનકડા બીટલ એકદમ આવતા પ્રકાશથી સંતાય જાય છે અને જમીનમાં છુપાયેલા નાના જીવડા પોતાના પગ અને અન્ય અંગોને સંકોચીને સુરક્ષિત દડામાં પરિણમે છે. ખજૂરી જેવા શતપાદી અને બહુપાદી જીવો, સરિસૃપો તેમના માપના દરમાં અને તિરાડોમાં સંકોચાઈને પણ ધૂસી જતા હોય છે.

આપણને એવું લાગે કે આપણાં પગ નીચેના નાનકડા પ્રદેશમાં નિવાસ કરતા જીવો સાથે માનવીને લાગતું વળગતું નથી. માટીના દાણાઓની આસપાસ સ્થિર થયેલા તેમજ તરતા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સાથે જમીન પર વસતા જીવો સાથે પૃથ્વી પરના હૃદય સમાન છે. જે ભૂપ્રદેશના ખંડમાં તે નિવાસ કરે છે તે ઘૂળ અને રેતીના કણોનું માત્ર માળખું નથી પરંતુ તેનો સમગ્ર જમીની નિવાસ જીવંત છે. આ જીવો નિષ્ક્રિય કણોની આસપાસ વહેતા દરેક પદાર્થને ઉત્પન્ન કરે છે.
જો બધા જીવો કોઈ એક ઘનફૂટમાંથી અદ્રશ્ય થઈ જાય તો તેમાંનું પર્યાવરણ, પાયામાંથી નવી સ્થિતિમાં ખસી જશે. માટીના કે ઝરણાના પટના અણુઓ સંકીર્ણ ન રહેતાં નાના અને સરળ થઈ જશે હવામાનાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા વાયુના ગુણોત્તરો બદલાઈ જશે. સંપૂર્ણ રીતે નવું સંતુલન સ્થપાશે જેથી તે ઘનફૂટ કોઈ દૂરના નિર્જીવ ગ્રહનો હોય તેવો થવા લાગશે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવમંડળ (બાયોસ્ફીયર) છે આ જીવનનું પાતળું ઝિલ્લીમય સ્તર આપણું એકમાત્ર ઘર છે તે એકલુ જ આપણને જીવવા માટે જે પર્યાવરણની જરૂર છે તેને જાળવે છે.
જીવ મંડળના મોટા ભાગના જીવો અને વિશાળ સંખ્યામાં તેની જાતિઓ તેની સપાટી પર કે સ્હેજ નીચે માલુમ પડે છે. જો કે તેમના શરીરો રાસાયણિક પ્રક્રિયાઓના ચક્રોમાંથી પસાર થાય છે જેના પર બધા જ જીવન આધારિત છે. તેની ચોકસાઈ એટલી હોય છે કે તેને આપણી કોઈ આઘુનિક ટેકનોલોજી પહોંચી ન શકે. ઉપરથી નીચે પડતી મૃત વનસ્પતિ અને પ્રાણીજ પદાર્થોનું તેની કેટલીક જાતિઓ વિઘટિત કરી નાંખે છે. વળી આ સફાઈનું કામ કરતી જાતિઓને અમુક વિશિષ્ટ ભક્ષકો અને પરજીવો આરોગે છે. તેના કરતા પણ ઉંચી જાતિના જીવો તેનું પણ ભક્ષણ કરે છે. આમ બધા સાથે મળીને જન્મ અને મૃત્યુની લેવડદેવડ કરતા કરતા વનસ્પતિને પ્રકાશ સંશ્વ્લેષણથી પોતાનો ખોરાક બનાવવા વનસ્પતિને પોષક તત્ત્વો પરત કરે છે. આ સાંકળ જો સરળતાથી કાર્ય કરતી ન રહે તો જીવમંડળનું અસ્તિત્વ ભૂંસાય જાય.
આમ આપણને બધા જ જૈવિક દળ (બાયોમાસ) અને જૈવિક વૈવિઘ્યની આવશ્યકતા છે. જેમાં પેટે ચાલતા અને ભાખોડિયા ભરતા બધા જ જીવો આવી જાય છે. આટલો જીવનોપયોગી ફાળો આપવા છતાં જમીન પર કે સ્હેજ નીચે વસતી જીવસૃષ્ટિથી આપણે પ્રમાણમાં અજાણ છીએ. વૈજ્ઞાનિકો પણ ઘણાં અજાણ છે. આપણને જાણીને આશ્ચર્ય થશે. ફુકાની પંદર લાખ જાતિઓ અસ્તીત્વમાં છે તે પૈકી હજુ સુધીમાં અંદાજે ૬૦,૦૦૦ જાતિઓની શોધ થઈ છે. અને તેનો અભ્યાસ થયો છે. તેમની સાથે માટીમાં સૌથી વધારે વિપુલ જથ્થામાં મળી આવતાં જીવો પૈકી ‘સૂત્રકૃમિ’ઓ જેને ‘રાઉન્ડવોર્મ’ કહે છે તે મળી આવે છે. તેની સેંકડો હજારો જાતિઓની ઓળખ થયેલ છે. પરંતુ તેનો સાચો આંકડો તો લાખો-કરોડોમાં હોઈ શકે છે. પરંતુ ફુગ અને રાઉન્ડવોર્મને ક્યાંય પાછળ રાખી દે તેવી સંખ્યા બીજા તેનાથી પણ નાના જીવોની છે. આપણાં બગીચાની એક ચપટી માટી કે જે લગભગ એક ગ્રામ હશે તેમાં લાખો-કરોડો બેકટેરિયા જીવી રહ્યા છે. આ બેકટેરિયા કેટલીક હજાર જાતિના બેકટેરિયા હશે.
આ જગતમાં ૧૨૦૦૦ કીડીની જાતિઓ વર્ણવવામાં આવેલ છે. તે વધારે સારી રીતે અભ્યાસ થયેલ જીવાતો પૈકીની છે. તેમ છતાં બહુ સારી રીતે ધારી શકાય તેમ છે કે તેની ખરેખર સંખ્યા બમણી કે ત્રણ ગણી હોઈ શકે છે. ઈ.સ. ૨૦૦૩માં એક તજ્જ્ઞએ મોટા માથાંવાળી કીડીઓનો અભ્યાસ પૂરો કર્યો. પશ્ચિમ ગોળાર્ધમાં આ કીડીની પ્રજાતિ ‘ફેઈડોલે’ છે. સજીવોના વર્ગીકરણમાં કોઈ એક પ્રજાતિઓમાં અનેક જાતિઓ હોય છે. આ પ્રજાતિ એવી છે જેની સૌથી વધારે જાતિઓની ઓળખ થયેલ છે. અને બધી જ કીડીઓમાં સૌથી વધારે સંખ્યામાં અને વ્યાપક છે. આ કીડીઓ મોટા માથાવાળી હોય છે. તે તજ્જ્ઞે તેના પર ૧૮ વર્ષ શોધખોળ કરી. ૧૮ વર્ષ સુધી કટકે કટકે કરેલા અભ્યાસ પછી તેણે ૬૨૪ જાતિઓ શોધી કાઢી તે પૈકી ૩૩૭ જાતિઓ વિજ્ઞાનમાં નવી હતી. અત્રે યાદ રહે કે દરેક જાતિમાં કીડીઓની સંખ્યા તો અગણિત હોય છે.
પરંતુ તે પૈકી એકાદ ડઝન જાતિઓનો ઘનિષ્ટ રીતે અભ્યાસ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તજ્જ્ઞે સૌથી નાની કીડીઓ પૈકીની કીડીની જાતિ શોધી કાઢી છે. તેનો ખોરાક ‘ઓરિબેટેડ માઈટ’ નામની તેનાથી પણ નાની જીવાત છે. આમ તો શૂન્ય ‘૦’ કરતા પણ ઘણી નાની છે પરંતુ તેનો દેખાવ એવો છે જાણે કે કરોળિયા અને ટટેલ (કાચબા) જેવું નાનું પ્રાણી)ની સંકર જાતિ હોય તેવી લાગે છે. ‘આરિબેટિડ’ તેના માપના જે જીવો માટીમાં સૌથી વિપુલ પ્રમાણમાં છે તે પૈકી એક છે. એક ઘનફુટમાં તે હજારોની સંખ્યામાં હોઈ શકે. તેમ છતાં તેની વિવિધતા અને તેની ‘રહેણી-કરણીથી મહદ્અંશે આપણે અજાણ છીએ. કીડી વિશે જાણીએ છીએ તેના કરતાં ઓછું જાણીએ છીએ.’
જમીનના સ્તરે જીવો કાંઈ વિવિધ જાતિઓના જીવોનું અસ્તવ્યસ્ત મિશ્રણ નથી કે તે અહીંતહીં વેરેલા ફુગ, બેકટેરિયા, કૃમિઓ, કીડીઓ અને અન્ય જીવોનો શંભુમેળો નથી. દરેક જૂથની જાતિઓનું સ્તરીકરણ થયેલ છે. જેમ જેમ ઉંડે જઈએ નિશ્ચિત રીતે જીવોની જાતિના સ્તર બાઝ્યાં હોય છે. જમીનની સહેજ ઉપરની સપાટી પરથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ સુક્ષ્મ પર્યાવરણની પરિસ્થિતિ ધીમે ધીમે પણ નાટકીય રીતે બદલાય છે. એકેક ઈંચ નીચે જઈએ તેમ પ્રકાશ અને તાપમાનનું વિસ્થાપન થાય છે એટલે કે બદલાવ આવે છે. દરોના માપ બદલાય છે. હવામાનાં રસાયણો બદલાય છે. માટી અને પાણીમાં રસાયણ વિજ્ઞાન પણ બદલાય છે. જે ખોરાક ઉપલબ્ધ હોય તેના પ્રકાર પણ બદલાય છે અને જીવોની જાતિઓ બદલાય છે. આ બધાં ઘટકોનું છેક સુક્ષ્મદર્શકના લેવલ સુધી સંયોજન સપાટીનાં કુદરતી પારિસ્થિતિકીનું તંત્રને નિશ્ચિત કરે છે. દરેક જાતિ ખાસ જગ્યામાં જીવવા અને પ્રજનન કરવાની ખાસિયત ધરાવે છે. જમીનમાં સપાટીથી ઊંડે જતાં જે કુદરતી પારિસ્થિતિકીના લેવલ રચાય છે તે વિવિધ જાતિઓને ખાસ જગ્યા પૂરી પાડે છે.
માટીનો અભ્યાસ અને ખાસ કરીને જમીનના લેવલનું જીવવિજ્ઞાન ઝડપથી વિજ્ઞાનની એક શાખા તરીકે વિકસી રહ્યું છે. હવે બેકટેરિયા અને અન્ય સુક્ષ્મજીવો તેમના ડીએનએ પરથી ઓળખી શકાય છે. ડીએનએ એટલે શું તેવો પ્રશ્ન થાય? કોઈપણ જીવ, પછી તે સુક્ષ્મ હોય કે વિરાટ, કોષોનો બનેલો છે. બેકટેરિયા જેવા જીવ એક કોષી હોય છે, જ્યારે મોટા જીવો બહુકોષી હોય છે. પરંતુ દરેકમાં તેનો કોષ જીવનનું એકમ છે. કોષના કેન્દ્રમાં નાભિ હોય છે. નાભિમાં ‘ડીએનએ’ના ટૂંકા નામથી ઓળખાતો અણુ હોય છે. આ અણુ અતિ લાંબો હોય છે. તેની સંરચના તે જેનો અણુ હોય છે તે જીવની કિતાબ જેવો છે. તેથી ‘ડીએનએ’ પરથી તે કઈ જાતિનો જીવ છે તે નિશ્ચિત કરી શકાય છે. વધારે અને વધારે સંખ્યાની જીવાતો અને અન્ય અપૃષ્ઠવંશી (કરોડરજ્જુ વિનાના) પ્રાણીઓના જીવનચક્રોથી વિજ્ઞાન ઘણાખરા માટે અજાણ છે. તેની મેદાનોમાં, ખેતરોમાં, જંગલોમાં, જળાશયોમાં તેમજ પ્રયોગશાળા ખોજ ચાલી રહી છે.
એક નાનકડું જગત ખોજની એટલે કે અન્વેષણની રાહ જોઈ રહેલ છે. જેમ જેમ સપાટીની જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને વધારે બારીકાઈથી તપાસવામાં આવે છે તેમ તેમ જીવનની આંતરિક ઘડિયાળની યંત્રણા વધારે તેમજ વધારે આશ્ચર્ય ઉપજાવે તેવી વિગત પ્રચુર ઉભરી આવી રહેલ છે. થોડા સમયમાં આ ભવ્ય પણ નાની કુદરતી પારિસ્થિતિકીને મૂલવવા પૂરેપૂરા તૈયાર થઈ જઈશું.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/65142/248/

No comments: