Thursday, June 3, 2010

ગિરનાર રોપ-વે મંજૂર ન થાય તો દિલ્હી સુધી પદયાત્રા : મશરૃ.


May 30,2010
જૂનાગઢ, તા.૨૯
જૂનાગઢના પ્રજાજનો માટે મહત્વકાંક્ષી એવી ગિરનાર રોપ વે યોજના વારંવાર અટકી પડે છે ત્યારે હવે દોઢ માસમાં આ યોજના મંજુર નહી થાય તો જૂનાગઢથી દિલ્હી સુધી ૧ર૦૦ કિ.મી.ની પદયાત્રા કરીને એક લાખ સહિઓ સાથેનું આવેદન પત્ર વડાપ્રધાનને પાઠવવાની ચિમકી જૂનાગઢના ધારાસભ્ય મશરૃએ ઉચ્ચારી છે.
ગિરનાર રોપ વે યોજના છેલ્લા દોઢ દાયકા જેટલા સમયથી નિયમોની આંટી ઘૂંટીમાં ફસાતી આવે છે. અને વારંવાર ખાતમૂર્હુતો થયા બાદ પણ આ યોજનાનું કામ ચાલું થતું નથી. ગિરનારને અભયારણ્યનો દરજ્જો મળતા કેન્દ્ર સરકારની મંજુરીનો નવો મુદ્દો આવતા હાલમાં ગુંચવાયેલું સમગ્ર કોકડું કેન્દ્ર સરકાર સમક્ષ પડયું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ યોજના મંજુર કરવામાં ઉદાસીનતા દાખવી રહી હોવાની રાવ સાથે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃએ દોઢ મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. અને આ સમયમાં જો રોપ વે યોજના મંજુર નહી થાય તો જૂનાગઢથી દિલ્હી સુધી ૧ર૦૦ કિ.મી. ચાલીને પદયાત્રા કરીને વડાપ્રધાનને આવેદન પત્ર આપવાની ચિમકી સાથે તેઓએ જણાવ્યું છે કે, આ પદયાત્રા દરમિયાન એક લાખ સહિઓ એકત્ર કરીને રજૂઆત કરાશે. તેમજ રજૂઆત વેળાએ ૭૦ વર્ષથી વધુ ઉમરના ૧૦૧ વડીલોને સાથે રાખવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190738

No comments: