Sunday, Jan 24th, 2010, 3:39 am [IST]
Bhaskar News, Amreli

અનેક તાંત્રિકો ઘુવડ જેવા પક્ષીઓનો તાંત્રિક વિધિ માટે ઉપયોગ કરે છે. કાંગસામાં એક બંગાળી શખ્સ પાસે આવી વિધિ માટે ઘુવડ હોવાની બાતમી મળતા દલખાણિયા રેન્જના આરએફઓ એ.ડી. અટારા સ્ટાફના બી.કે. મહેતા, કૌશિકભાઈ ત્રિવેદી વિગેરે સાથે ત્યાં દોડી ગયા હતા અને હસન બાદશાહ બંગાળી નામના શખ્સની ધરપકડ કરી હતી.
આ શખ્સ પાસેથી થેલીમાંથી બંદી બનાવેલી હાલતમાં ઘુવડ મળી આવ્યું હતું. જંગલખાતાએ ઘુવડનો પણ કબજો સંભાળ્યો હતો. હાલમાં આ ઘુવડને ધારીની જંગલ ખાતાની કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. વેટરનરી ડોકટર દ્વારા તેની ચકાસણી કરવામાં આવ્યા બાદ તેને પ્રાકૃતિક આવાસ જંગલમાં પુન: મુકત કરી દેવામાં આવશે.
બંગાળી શખ્સે આ ઘુવડ કયાંથી પકડ્યું તે જાણવા તેની પૂછપરછ શરૂ કરાઈ છે. તાંત્રિકો દ્વારા આ રીતે પક્ષી-પશુઓ અને તેના અંગો-ઉપાંગોને ગેરઉપયોગ મોટા પ્રમાણમાં ચાલે છે. કયારેક આ પ્રકારે કાર્યવાહી થાય છે. અન્યથા આવી ગતિવિધિ નિરંતર ચાલતી રહે છે. અગાઉ અન્ય પક્ષી પકડવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/24/100124033048_one_person_arrest_with_owl.html
No comments:
Post a Comment