Thursday, June 10, 2010

ગીરમાં બુધવારથી વનરાજોનું વેકેશન.

Bhaskar News, Junagadh
Thursday, June 10, 2010 03:12 [IST]
Bhaskar News, Junagadh, lionઆગામી ૧૫ જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી ગીરમાં ૧૬ જુનથી વનરાજો વેકેશન પર જાય છે. તા.૧૬ જુનથી ૧૫ ઓકટોબર સુધી ગીર અભ્યારણ્ય તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ગીરમાં વસતા વનરાજો જુનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. આગામી ૧૫ જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઇ રહ્યો છે. ચોમાસા દરમિયાન જંગલનાં રસ્તાઓ વધુ ખરાબ થાય છે. તેમજ આ સમય દરમિયાન સિંહોનો સંવનન કાળ પણ હોય છે. હિંસક પ્રાણીઓનો બ્રિડીંગ પિરીયડ ચાલતો હોય છે.
આથી તેઓનાં હરવા-ફરવા માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા મુજબ આગામી તા.૧૬ જુનથી તા.૧૫ ઓકટોબર સુધી તમામ પ્રવાસીઓ માટે ગીર અભયારણ્ય બંધ રહેશે. ડીએફઓ ડો. સંદીપ કુમારે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ કાયદા નીચે બનાવેલા નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ગીર પરિયચ ખંડ દેવળીયા પ્રવાસીઓ માટે ચોમાસામાં બંધ રાખવામાં આવે છે. પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રિમ હિલચાલથી દૂર રાખવા તેમજ તેમના માદરે વતનમાં મુકતપણે વહિરવા દેવા આવશ્યક છે.
આથી પ્રવાસીઓ વનરાજોને સંવનન કાળ માણવા દેવાની સાથેતેમના વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સહકાર આપે તે જરૂરી છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વર્ષાઋતુ દરમિયાન બંધ
વર્ષાઋતુ દરમ્યાન વન્ય જીવોની સંવનન કાળ હોવાથી તેના વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે તા.૧૬-૬ થી ૧૫-૧૦ સુધી બંધ રહેશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-all-lion-will-go-at-vacation-1045454.html

No comments: