Thursday, June 10, 2010

લોધીકા પંથકમાં રોઝનો ત્રાસ પાક ખેદાન મેદાન કરી નાખે છે.

Jun 06,2010લોધીકા તા. ૬ તાલુકાના ખાંભા ગામે યોજાયેલા કૃષિ રથ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત જિ. વિકાસ અધિકારીને કિસાનોએ આ વિસ્તારમાં રોઝનાં ત્રાસ અંગે રજુઆત કરેલ હતી. કિસાનોના વાડી ખેતરમાં આવેલા ઉભા મોલને રોઝનાં ટોળા ત્રાટકી ખેદાન મેદાન કરી દે છે અને  ખેડુતોના મહામુલા ઉભા મોલને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડે છે ખેડુતો પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે પરંતુ રોઝનાં અનહદ ત્રાહથી છુટકારો મળતો નથી. આ સેમીનારમાં ઉપસ્થિત ગ્રામ સેવક પી.એમ. મકવાણાએ કિસાનોને રોઝનાં ત્રાસથી છુટકારો મેળવવા માટેનો ઉપાય કે જે ઉપાય જેતપુર પંથકના કિસાનો કરે છે તે અંગે જણાવેલ કે રોજ ઉપયોગમાં લેવાતી છાસને મટકામાં ભરી ૧૫ થી ૨૦ દિવસ સુધી રાખી વાસી બનાવી ત્યારબાદ ખેતરવાડીના સેઢે ૧૫૦ ફુટના અંતરે માટીમાં મટકાને બુરી દેવામાં આવે છે આવો અનુભવ કરી ચુકેલા કિસાનોના કહેવા પ્રમાણે ખાટી છાસની ગંધ માત્રથી રોઝ વાડી ખેતરમાં પ્રવેશતા નથી ત્યારે આવો કિમીયો રોઝના ત્રાસથી ત્રસ્ત કિસાનોએ કરવા જેવો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192584

No comments: