Friday, June 4, 2010

પવનના વાંકે નહીં પણ પચાસલાખના કૌભાંડના પાપથી તુટ્યું દિપડાંનું પાંજરૂ.


આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 04 જુન 2010
લોખંડના પાઈપના આંટા જ નીકળી ગયા! વાવાઝોડાની વાત જુઠ્ઠાણુ
પવનના વાંકે નહીં પણ પચાસલાખના કૌભાંડના પાપથી તુટ્યું દિપડાંનું પાંજરૂ

રાજકોટ,
રાજકોટમાં પ્રદ્યુમ્નપાર્ક ખાતે જેમાં બે દિપડાં હતા તે લોખંડનું રૂ।.૫૦ લાખના આંધણ કરીને બનાવાયેલું પાંજરૂ ધસી પડવાની ઘટનામાં કામમાં લાપરવાહી અને ભ્રષ્ટાચાર હોવાની શંકા પ્રથમનજરે જ જન્મી છે. સ્થળની તપાસ દરમિયાન લોખંડના પાઈપથી બનેલા પાંજરામાં બે પાઈપ વચ્ચેની કપલીન નીકળી ગયાનું અને આંટા ખુલ્લી ગયાની ગંભીર વિગતો બહાર આવી છે.
ચેરમેને લીધેલી મુલાકાતઃ પ્રવેશદ્વાર અને પાંજરૂં નવા બનાવીને પ્રજા પર એક કરોડનો બોજ નાંખવાનો નિર્ણય
પચાસ લાખ નહીં પણ પચાસ રૂપરડીનું લોખંડનું કામ થાય તેમાં રખાતી કાળજી પણ નહીં રખાયાનું આમજનતાના ઘ્યાન પર પણ આવ્યું છે પણ મ્યુનિ.કમિશનર બાદ આજે સ્થાયી સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા પછી પણ જવાબદારો સામે પગલા લેવાને બદલે તેમને કેમ છાવરવા તેનો પ્લાન ઘડાતો રહ્યો હતો.

ચેરમેને પાંજરાની સ્ટ્રક્ચરલ ડિઝાઈનનો અભ્યાસ શરૂ કર્યો છે તો મ્યુનિ.કમિશનરે થર્ડપાર્ટી તપાસ સોંપવા વાત કરી છે તો જેને તપાસ સોંપાઈ છે તે ટેક.એડવાઈઝરે અન્ય તજજ્ઞોને સાથે રાખીને તુરંત તપાસ શરૂ કરવાને બદલે તેમની તપાસ ઘટનાસ્થળે શરૂ થાય તે પહેલા ભ્રષ્ટાચારની ચાડી ખાતો માંચડો બદલી નંખાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

એકંદરે પ્રવેશદ્વાર તેમજ પાંજરૂ ધસી પડવાની ભયાનક બેદરકારી દર્શાવતી ઘટનાનું પુનરાવર્તન ટાળવા કડક પગલા લેવાને બદલે ભૂતકાળની માફક વઘુ એક વાર જવાબદારોને બચાવી લેવા અને નવા પાંજરા તથા પ્રવેશદ્વાર માટે પ્રજાની તિજોરીમાંથી એક કરોડ રૂ।.નું આંધણ કરવા વહીવટીતંત્ર તેમજ શાસકોએ સેટલમેન્ટ કરી લીધાનું ચર્ચાય છે.


આ ઉપરાંત ઝૂની દિવાલ જે ૧.૭૦ મીટર જેટલી ઊંચી છે તેને પણ ૨ મીટર ઊંચી દેખાડીને પૈસા વસુલાયાનું કૌભાંડ તેમજ એક્સ.મિલિટ્રીમેનના નામે સાદા ચોકીદારોને જ સિક્યુરિટી માટે મુકાયાની ફરિયાદ ખુદ કમિશનરને પણ મળી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/64960/149/

No comments: