Thursday, June 3, 2010

લૂપ્ત થતાં ગીધ, ગિરનાર અને દેવળિયા પાર્કમાં ૬૯ નોંધાયા.


May 31,2010
વેરાવળ તા.૩૧
જીઇઇઆર ગાંધીનગર દ્વારા ગત તા, ર૯ અને ૩૦ દરમ્યાન લૂપ્ત થઈ રહેલા ગીધ પક્ષીઓની વસતી ગણતરી થતાં ગિરનાર પર્વત પર ૪૭ અને દેવળિયા પાર્કમાં ૨૨ ગીધ નોંધાયા હતાં. ગીરનાર પર્વત પર ગીધનાં કુલ રર માળા મળી આવ્યા હતાં.
પ્રકૃતિ નેચર ક્લબના સભ્યો દિનેશભાઇ ગૌસ્વામી, જીજ્ઞોશ ગોહેલ, દેવસીભાઇ રામ,જાનીભાઇ, વિજયભાઇ ગાંધી, મહેતાભાઇ, રાજસીભાઇ રામ અને અસલમભાઇ ની ટીમે જૂનાગઢ ગીરનાર પર્વતમાં વેલનાથની જગ્યા પાસે ૧૯૫૦ પગથિયા ચડયા પછી ડાબી બાજુએ જ્યાં ગીધના નેસ્ટીંગ જોવા મળ્યા હતાં. બાદમાં દેવળીયા પાર્કમાં ગીધની વસતી ગણતરી કરી હતી.
નેચર ક્લબના સભ્ય દેવસીભાઇ રામે જણાવ્યુ હતુ કે, ગીધના પ્રકારોમાં ડાકુગીધ, રાજગીધ, ખેરોગીધ અને ગિરનારી ગીધ છે. જૂનાગઢ જીલ્લામાં ગિરનારી ગીધ જ જોવા મળે છે. ગિરનાર પર વસતા ગીધ ક્યારેક જેતપુર, ધોરાજી સુધી સ્થળાંતર કરે છે. પહેલાના જમાનામાં પાંજરાપોળ હોય ત્યાં ગીધ વધુ જોવા મળતા હતા. હાલ માત્ર ૬૯ ગીધ જ હોય આ જાતિ હાલ લુપ્ત થવાના આરે છે ત્યારે આ અંગે કશુ કરવુ જોઇએ તેવો સ્પષ્ટ મત આપ્યો હતો. ગીધની વસતી ઘટવાનું મુખ્ય કારણ ડાયક્લોફેમાં દવા છે. આ દવા દુધાળુ પશુઓને આપવામાં આવે છે. જે તેના મોત બાદ તેનુ માંસ ગીધ ખાતા આ દવા ગીધ માટે ઝેરી સાબીત થાય અને આજે તેની જાતિ નાશ થવાના આરે છે. તેમ કહી શકાય.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191186

No comments: