Monday, June 14, 2010

બે દીપડાના મૃતદેહ મળ્યા.

Bhaskar News, Junagadh
Saturday, June 12, 2010 02:54 [IST] 
Bhaskar News, Junagadh, leperdવિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામની સીમમાંથી ગઇકાલે એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં આજે ત્યાંથી દોઢ કિલોમીરટ દૂર જાંબુડા ગામની સીમમાંથી વધુ એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર વ્યાપી હતી. ગઇકાલે મળેલા દીપડાનાં મૃતદેહનું પીએમ કરાતા તેનું ફૂડ પોઇઝનથી મોત થયાનું બહાર આવ્યું હતું. જ્યારે આજે મળેલા દીપડાનાં મોત અંગેનું કારણ જાણવા વનતંત્રએ પીએમમાં ખસેડ્યો હતો.
બે દિવસમાં બે દીપડાનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર વ્યાપી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ગઇકાલે વિસાવદર તાલુકાનાં ભલગામ-ઝાંઝેસર રોડની જમણી બાજુએ એક દીપડાનો મૃતદેહ પડ્યો હતો. આ અંગે વનતંત્રને જાણ કરવામાં આવતાં આરએફઓ કંડોરીયા સહિતનાં સ્ટાફે દોડી જઇ દીપડાનાં મૃતદેહનો કબજો લઇ તેને પીએમમાં ખસેડ્યો હતો. બે વર્ષનાં નર દીપડાનું ફૂડ પોઇઝનીંગનાં કારણે મોત થયાનું બહાર આવ્યું હતું. ત્યાં આજે બપોરે વન તંત્રનો સ્ટાફ જાંબુડા ગામની સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે ગોરધનભાઈ મોહનભાઈ વોરાની વાડીમાં વનતંત્રનાં કર્મચારીઓને ગંધ આવતાં ત્યાં તપાસ કરી હતી. બાજરો વાવેલા ખેતરમાં તપાસ કરતાં ત્યાંથી પણ બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ દીપડો બે ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાથી તેનો મૃતદેહ કોહવાઈ ગયો હતો. આ અંગે આરએફઓ કંડોરીયાને જાણ થતાં ઘટનાસ્થળે આવી તેના પીએણ માટે કજવીજ હાથ ધરી હતી. ગઇકાલે એક દીપડાનું ફૂડ પોઇઝનીંગથી મોત થયું હતું. ત્યાં આજે બે-ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર વ્યાપી છે. હવે આ દીપડાઓએ ઝેરી વસ્તુ ખાદી હતી કે તેના ખોરાકમાં ઝેર નાંખવામાં આવ્યું હતું એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
કાળીયાર અને મોર બાદ હવે દીપડાનાં મૃતદેહ મળ્યા
વિસાવદર પંથકમાંથી થોડા સમય પહેલા ૧૧ કાળીયારનાં મૃતદેહ મળી આવ્યા હતા. તેના થોડા દિવસ બાદ છ મોરનાં મૃતદેહ મળ્યા હતા. તેનો એફએસએલ રિપોર્ટ આવ્યો નથી ત્યાં વધુ બે દીપડાનાં મૃતદેહ મળી આવતાં વનતંત્રમાં દોડધામ શરૂ થઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-leperds-deadhbody-got-in-visavadar-1051870.html

No comments: