Bhaskar News, Bhavnagar
Friday, June 11, 2010 03:00 [IST]

સને ૨૦૦૯-૧૦ના વર્ષ દરમિયાન ૪,૦૯૩ પ્રવાસીઓએ વેળાવદર રાષ્ટ્રીય ઉધાનની મુલાકાત લીધી હતી. જેની સરકારની તિજોરીમાં રૂપિયા ૬ લાખ ૨૨૦૦૦ જેવી માતબર આવક થઈ હતી. નોંધનીય છે કે, આ વર્ષમાં ૨૩૯ વિદેશી પ્રવાસીઓએ પણ આ તક ઝડપી હતી.
પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે, સને ૨૦૦૮-૦૯ના વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા ૪૫૦૦ આસપાસ હતી. તો તેની સામે આવક ૫.૫૦ લાખ જેટલી થઈ હતી. આ આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ચાલુ વર્ષે ઘટાડો થવા પાછળનું કારણ પણ ગત વર્ષમાં વરસાદની અનિયમિતતા હોવાથી ઉધાનમાં નૈસર્ગિક સૌંદર્યમાં ઉણપ રહી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર પ્રવાસન સ્થળોનો વિકાસ સાધવા અનેકવિધ પ્રયાસો કરી રહેલ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ખ્યાત વેળાવદર અભ્યારણ્ય તરફ પ્રવાસીઓ આકર્ષવા વધુને વધુ પ્રયાસો કરવા રહ્યાં. ઉલ્લેખનિય છે કે, પ્રવાસન સ્થળોમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન સમાવેશ થયો છે. પણ પૂરતો વિકાસ સધાયો નથી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-income-of-velavadar-national-century-increase-1048657.html
No comments:
Post a Comment