Saturday, May 21, 2011

ક્રાકચનાં બીડમાં દવથી સિંહોમાં દોડધામ મચી.

અમરેલી તા. ર૪
અમરેલી જિલ્લાનાં લીલીયાના ક્રાકચ બીડ વિસ્તારમાં ગઈ કાલે દવ લાગતા સિંહોમાં ભાગમભાગી થઈ પડી હતી. મોડી રાતે ગ્રામજનો અને વનવિભાગે મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી. બૃહદગીર વિસ્તારમાં આવતા લીલીયાના ક્રાકચ બીડ વિસ્તારમાં શેત્રુજીનાં પટમાં વસવાટ કરતા ર૪ સિંહોએ અહીં પોતાનુ રહેઠાણ બનાવી લીધુ છે.
  • છ કલાકે આગ કાબૂમાં આવી : ત્રીજી વખત ઘટનાં ઘટી
ત્યારે આ વિસ્તારમાં ગઈ કાલે ત્રીજી વખત દવ લાગ્યો હતો. આશરે ૭૦૦ વીઘા વિસ્તારમાં દવ ફેલાઈ જતા અહીં વસવાટ કરતા ર૪ જેટલા સિંહોમાં નાસભાગ મચી ગઈ હતી.  બીડનાં ખાંટની ઓઢ વિસ્તારમાં દરરોજ સિંહો પાણી પીવા આવે છે ત્યારે આ વિસ્તારમાં ખેડુતોની માલિકીની જગ્યામાં એકાએક ફાટી નિકળેલો દવ સતત છ કલાક સુધી રહેતા મોડી રાતે વનવિભાગ સ્ટાફ અને ગ્રામજનોએ ઝાંડી-ઝાંખરાના સાવરણા બનાવી આગ ઓલવી હતી. આગથી વિસ્તારમાં સુકુઘાસ અને બાવળનો સફાયો થઈ ગયો હતો.
Source: http://draft.blogger.com/posts.g?blogID=8243120114635336768

No comments: