Saturday, May 21, 2011

નાગઢ હાઇવે પર ટ્રાફિકજામનું કારણ સિંહ પરિવાર!

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:15 PM [IST](21/05/2011)
- બિલખા-જુનાગઢ હાઈવે પર ટ્રાફિકજામ
- માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે રોડ પર સિંહ દર્શન નિહાળવા વાહન ચાલકો થંભી ગયા
બિલખા-જુનાગઢ હાઈવે પર ભરબપોરના સુમારે સિંહ પરિવાર આવી ચઢતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે રોડ પર સિંહ દર્શન કરવા ચાલકોએ પોતાનાં વાહનો થંભાવી દીધા હતાં.
બિલખા-જૂનાગઢ હાઈવે પર માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે આજે શુક્રવારનાં બપોરનાં ૨:૩૦ વાગ્યાના સુમારની આસપાસ બે સિંહ અને એક સિંહણે થોડા સમય માટે રોડની વચ્ચોવચ્ચ ધામા નાંખતા આ સિંહ પરિવારને જોવા માટે ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો પણ સિંહ દર્શન નિહાળવા દોડી જતાં માણસોનો ઘસારો જોવા મળ્યો હતો. સિંહ પરિવારે થોડો સમય આરામ લીધા બાદ નજીકનાં બાજરાના ખેતરમાં જતાં રહેતા ટ્રાફિક હળવો થયો હતો. આ સિંહ પરિવારનાં મુકામથી માંડણપરા-ચોરવાડી ગામનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ચોરવાડીમાં જ સિંહની હત્યા થઈ હતી -અકાદ વર્ષ પૂર્વે ચોરવાડી ગામનાં બસ સ્ટેશન પાસે જ એક કઠીયારાએ કુહાડીનો ઘા ઝીંકી સિંહની હત્યા કરી નાંખી હતી. હત્યા પૂર્વે સિંહે પણ ત્રણ-ચાર વ્યક્તિઓને ઘાયલ કરી દીધા હતાં.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-traffic-jam-for-lion-family-came-in-market-2120759.html?HF=

No comments: