Saturday, May 21, 2011

દીપડા-સિંહ જેવા વન્ય જીવોની ત્રણ પધ્ધતિથી થતી ગણતરી.


Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:36 AM [IST](20/05/2011)

- વન્ય જીવના રસ્તાની પૂર્વ જાણ હોય તો ઝીણી માટી પથરાય છે
- જીવોની ગણતરીમાં કેટલીક વિશેષતાઓ

ભાવનગરની વિશેષ ભૌગોલિકતામાં વસતા વન્ય જીવો, પશુ-પ્રાણીઓની સમયાંતરે વસ્તી ગણતરી કરાય છે. પરંતુ આ ગણતરીમાં કેટલીક વિશેષતાઓ રહેલી છે. ધૂળ તથા માટીવાળી જગ્યાએ વન્ય જીવના જોવા મળતા પગલા ચકાસણી માટે સૌથી ઉત્તમ ગણાય છે. એટલું જ નહીં વન્ય જીવના કેડીકે રસ્તાની પૂર્વ જાણ હોય તો વનખાતા દ્વારા ઝીણી માટીનો પાતળો થર પાથરી દે છે. કુલ ત્રણ પધ્ધતિથી વન્ય જીવોની ગણતરી કરાય છે.
તાજેતરમાં દીપડાની ગણતરી પુરી થઈ છે. આવીજ રીતે ભૂતકાળમાં સિંહની કે અન્ય જીવ-પ્રાણીની ગણતરી કરાઈ છે. પણ ગણતરીમાં ગણતરીકારોને સ્પષ્ટ સુચના જ હોય છે કે, જો પ્રાણીની કેડી જોવા મળે તો સાંજના ૪-૩૦ કલાક પહેલા માટી પાથરી દેવી. આ નિયમ સમગ્ર વન વિભાગના ગણતરીકાર કર્મીઓને લાગુ પડે છે.
આ સિવાય, વન્ય પ્રાણીઓના પગલાની શક્યતા જણાય તો પોઈન્ટની આજુબાજુના વિસ્તારોમાં સઘન ચકાસણી કરી પગલા પસંદ કરીને તે બગડે નહીં તેની સાવચેતી માટે ઢાંકી દેવાય છે. ડી.એફ.ઓ. બી.ડી. લિંબાસિયાના જણાવ્યા મુજબ, પ્રયત્ક્ષ દેખાવ અને પગમાર્ક એમ બે પધ્ધતિથી કામ કરાય છે.
એક સાથે વધારે પદ ચિન્હો માટેની સાવધાની રખાય છે, તો એટલી જ તકેદારી ઉપરા-ઉપરી પદ ચિન્હોની લેવી પડે છે. સ્થળ ઉપર જ પગલાનું આલેખન યંત્ર ઉપર નોંધવામાં આવે છે. એકથી અનેક પ્રકારની કાળજી વન્ય જીવોની ગણતરીમાં લેવાતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વિકૃત્ત અને વળી ગયેલા પગલાની પણ નોંધ...!

કોઈ પ્રાણીના પગે ઘાની નિશાની હોય, ક્યારેક એકાદ આંગળી કે તેનો ભાગ ઈજાગ્રસ્ત કે નાશ પામેલો, એકાદ પંજો વળી ગયેલો હોય છે ત્યારે તેના પંજામાં જરૂરી અંગ હોતું નથી. તે પદચિન્હમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જેની નોંધ પણ કરાય છે.આ સીવાય અવષેશ પધ્ધતિ અપનાવાય છે. જેમાં દીપડા, રિછ તથા અન્ય વન્ય પ્રાણીઓના મૃત અવશેષ, શરીરના ભાગો, હગાંર, વાળ વગેરે એકત્ર કરીને ચકાસણી કરી ગણતરી કરાય છે.
વસ્તી ગણતરીમાં સમય/નોંધની અગત્યતા...
જ્યાં વન્ય જીવની આવન-જાવન, વસવટ હોય તેની નજીક ગણતરીકારો પોઈન્ટ રાખે છે. એક પોઈન્ટે દેખાતું પ્રાણી તુરંત બીજા પોઈન્ટ દેખાવાની શક્યતા રહે છે. આથી ગણતરીમાં બમણી સંખ્યા થઈ શકે, તેથી સમય-સ્થળની નોંધ ખથ્સ રખાય છે. જેથી પ્રાણી-પશુની સંખ્યામાં ચોક્કસાઈ જળવાઈ રહે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-and-lion-three-kind-of-census-2119338.html

No comments: