Tuesday, May 3, 2011

ઘૂવડ, ચીબરી વડવાંગળ પક્ષીઓ લૂપ્ત થઈ રહ્યા છે.

અમરેલી, તા.૨ર
વર્ષોથી સમી સાંજના પહેરગીરો ગણાતા ઘુવડ અને ચીબરી જેવા નિશાચર પક્ષીઓ જાણે લૂપ્ત થઈ રહ્યા હોય તેમ તેની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘટતી સંખ્યા પાછળ શહેરીકરણ, પર્યાવરણ, અંધશ્રધ્ધા, શિકાર વિગેરે કારણભુત છે.
ઘૂવડ અને ચીબરી વડવાંગળ ભાગ્યે જ જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે ઘૂવડના પગની નાળ નાના બાળકોના ગળામાં પારાની જેમ પહેરાવવામાં આવે તો કોઈની નજર લાગતી નથી. આવી અંધશ્રધ્ધા, ઘૂવડના માંસનો સુતિકા રોગમાં ઉપયોગ તેમ જ મંત્ર, તંત્ર, મેલીવિદ્યાના નામે ઘૂવડનું નિકંદન નિકળી રહ્યું છે.  નિશાચર પક્ષીઓનાં શિકારની ઘટનાઓ પણ બનતી રહે છે.
સામાન્ય રીતે જંગલમાં જોવા મળતા શિંગડીયો ઘુવડ, રેવી દેવી, રેખાળી ચુગ્ગડ, રવાઈડું, બ્રાઉન, વુડ ઓઈલ, ટપકાવાળી ચીબરી, જંગલી ચીબરી વિગેરે પણ ખૂબ ઓછી જોવા મળે છે. ઘૂવડની પ્રજનન ઋતુ નવેમ્બરથી મે માસ સુધી છે. ખડકો અને માટીની ભેખડોમાં ઈંડા મૂકે છે.
નિશાચર પક્ષી ખેડૂતો માટે વરદાનરૃપ
અમરેલી : પ્રકૃતિપ્રેમી ચલાલાના અજીતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ઘૂવડ ખેડૂતો માટે વરદાનરૃપ છે. ખેતરમાં એક ઉંદરડી સામાન્ય રીતે છ બચ્ચાને જન્મ આપે છે. તેના કારણે વર્ષ દહાડે ખેતરમાં ઉંદરની ફોજ ઉભી થાય છે અને પાકમાં મોટુ નૂકશાન કરે છે. ખેતરમાં ઉંદર ઉપરાંત ખીસકોલી, નાના તીડ પણ નુકશાન કરે છે. ઘુવડ અને ચીબરીનો આ ખોરાક હોવાથી આ નિશાચરો પાક રક્ષક તરીકે કામ કરે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=283323

No comments: